Safal thawani dawa - 6 books and stories free download online pdf in Gujarati

સફળ થવાની દવા - ભાગ 6

સફળ થવાની દવા ભાગ 6

            " ગત સંપત ફરસા પડે ગયા વળે છે,વહાણ ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ"

    આ સુભાષિત માં કહેવામાં આવ્યું છે. કે ગયેલું કદી પાછું આવતું નથી, એ સમય હોય કે મળેલી એક સુવર્ણ તક હોય તેને પકડવી પડે છે. એને ઝડપી ને તેમાં લાગેલા જ રહેવું પડે છે.કેમકે સમય કમાન માંથી છુટેલા તીર જેવો હોય છે. કદી પાછો નહીં આવે માટે મિત્રો લડી લો મુસીબતો સામે પછી તક તમને નહીં મળે કાલ પર ન છોડો કાલ ક્યારે નહીં આવે તમારી જે છે,તે આજ જ છે.આપણે ઉધારી ના બોડ મારી દુકાને જીંદગી માં રોજ ઉધારી રાખીએ આપણે એવા મહાન માણસો છીએ.

   પારકી આશા એ પણ ન બેસવું, કોઈ નકકી કરે કે આપણે શું કરવું જે કરવું છે તમે જેમાં કુશળ છો તેમાં સારો એવો દેખાવ કરો. કાગળીયા પર થી નકકી ન કરો. ઉપર વાળો બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો ખોલે છે.તે નથી ઇચ્છતો કે એ કરો.તમે એ કરો જેમાં તમને આંનદ આવે તે કરો પૈસા કમાવવા કે કોઇ હેતુ થી નહીં મજા કરવા માટે કરો.

    સમય કયારે કોઈ નો આવતો નથી તેને લાવવો પડે છે, આતો બધી કાયરો ની ભાષા છે,શુરવીર ની નહીં,કોઈ વાર પાસાં ઉલટા પણ પડી જાય છે.જે થાય તે સારા માટે તેવું સમજીને જો નિસ્વાર્થ ભાવે મહેનત કરવામાં આવે તો એનો બદલો ભગવાન આપે જ છે,હું તમને બીજી વાત પણ કહેવા માગું છું બધા કે પોઝીટીવ વિચારો ધ્યેય ઊંચાઈ પર રાખો કંઈ જ થાય આતો તમને પાગલ બનાવવાની ને તમને ખોટા નશા માં ધુત રાખવાની વાતો છે. બીજું કંઈ નહીં.

     આવી વાતો જેમકે "સપનાં એ નથી
કે જે રાત્રે આવે ઉંઘ માં સપનાં એ છે જે તમને સુવા ના દે "આ અબ્દુલ કલામએ કહ્યું છે,પણ આ વાક્ય નો જે પ્રચાર પ્રસાર થયો છે, તેનો મતલબ  પણ એવો ખોટો નીકાળ્યો જેથી માણસ ગાંડો થઈ જાય આ સાંભળી કેમ કે કંઈ સુજે જ નહીં આ સાંભળી શું તંબુરો મહેનત કરે આ જે ફેકાલેજી જેવી ફિલોસોફી એ લોકો ને પાગલ કરી નાંખ્યા. ને માણસ ને ના મહેનત પર ભરોસો બેસે કે પોતાની જાત પર ને કે પોઝીટીવ વિચારો કરો કયાંથી આવે.એક રસ્તા છોડ્યા નથી તમને હતાશ કરવાના .તમે કરો તો પણ શું કરો.સ્વામી વિવેકાનંદ ના નામે જે ધંધો થાય બાકી જોવા જેવો થાય તેમના જેવા અડધાય વિચારો ન હોય ને તેમના વરઘોડા કાઢે ને જે એમના વાક્યો નો મતલબ પણ ખોટી રીતે લેવા માં આવે ઉઠો જાગો ને "ધ્યેય સુધી મંડ્યા રહો".પોતાના જીવન માં પાછી એક ન હોય આના થી બીજું શરમજનક શું કહેવાય.

   તમે જે કરો તે પોતાની મરજી થી આત્મા ને પુછી ને કરો કે હું જે કરું છું તે બરાબર તો છેને? તમે જે નક્કી કર્યું છે તે કોઈ પણ હિસાબે કરી કરી નાખવું પછી કદમ ઉપાડયા પછી પાછી પાની ન કરવી જોવો તમારે તમારી ગણના સફળ માં કરાવવી હોય તો.તમારે કંઈ જોઈએ તો જમા કરાવવું પડે છે.એમનેમ કંઈ નથી મળતું સિવાય હતાશા.તમારે મહેનત ના બીજ રોપવા પડે છે. તેને માવજત કરવી પડે છે ત્યારે જ તમને તેના ફળરૂપે પ્રસિદ્ધિ અથવા પૈસા મળે છે, જે જોઇએ તે વાવવું.

કોઇને પુછી કંઈ ન કરો તમે જે કરો છો તે બરાબર છે,તમે તે કરી જ શકશો તેવી હિંમત રાખશો તો મિત્રો તમે અઘરા માં અઘરું કામ પણ કરી શકશો ,હિમાલય પણ તમે આસાની થી ઠેકી જશો આ  "લબ્સ "નો આ અનુભવ છે.

    જીવન નું બીજું નામ જ સંઘર્ષ છે.આ ન હોય તો જીવન માં મજા નથી.તમે જેને જેવો તે મુંઝવણ માં હોય છે,મફત માં મળે તેને ભીખ કહેવાય ને સખત પરિશ્રમ થી મળે તો તેને ફળ કહેવાય બંને માં ફેર એટલો છે,કે સખત પરિશ્રમ થી જે મળે તેની મજા જ કંઇ અલગ છે.આમાં ફરક એ છે પેલું મફત નું લાંબા સમય સુધી ટકતું નથી.ને સખત મહેનત થી મળેલું ફળ, પૈસો, કે પ્રસિદ્ધિ હોય તે લાંબા સમય સુધી ટકી રહે છે, તમને શાન્તિ ને ચેન ની અનુભવ કરાવે છે.તે પૈસો તમને સારા કામે પણ જાય છે.

  નિષ્ફળ માણસ જયાંથી છોડી દે ત્યાં થી જે શરુઆત કરે તેની ગણના સફળ માં થાય ,ભાષણો સાંભળવાથી કે બેસી રહેવાથી કંઈ નહીં મળે.જયાં દરેક નું મગજ કામ કરતું બંધ થાય ને ત્યાં આપણું ચાલું થાય. કંઈક કરી બતાવવા ની આગ દિલ માં  

તમારે  મહેનત તો કરવી જ પડશે પછી ઉપર વાળા પર છોડી દેવું,તનતોડ મહેનત કરો ને જે કરો તેમાં શ્રદ્ધા રાખો તમે કોઇની પુજા ન કરો ભગવાન તમારા દિલ માં જ છે. તેને મંદિર મસ્જીદ માં ના શોધો એ તમારા ભીતર જ છે.તમે જે કરશો તેનું ડબલ આપશે સારુ કર્મ હોય કે ખરાબ કે કરેલું કદી વ્યર્થ જતું નથી આ ભગવાન નો કાયદો છે.તેની નજર આપણી ઉપર 24કલાક હોય જ છે. માટે ઈમાનદારી થી મહેનત કરી ને પછી ઉપરવાળા પર છોડી દેવું.આપણે થોડું માંગીએ ને ઉપર વાળો દરિયો આપી દે છે સમાવવા.આપણો ભગવાન મહેનત ને માનો આપણી ફરજ છે મહેનત કે આવડત ભગવાન કહે છે તુ મને યાદ તેની સાથે સંઘર્ષ પણ કર તુ ફળ ની ઈચ્છા ના રાખ હું તને યોગ્ય સમયે આપીશ પણ મફત નો નશો એવો હોય કે કંઈ ન હોય તેમાં તો પણ વ્યક્તિ ઓને ખેંચી જાય. ને લોકો પછી ટુંકા રસ્તા શોધવા માંડ્યા.કોઈ નું પડાવવા માં પણ લોકો અચકાતા નથી.લોકો આડાઅવળા કામ કરી ને પૈસા પડાવવા લાગ્યા.

જીવન ના આ સંગ્રામ માં એજ જીતે છે. જે સાહસી હોય છે, દુનિયા પાગલો જ ચલાવે છેને ડાહ્યા બધાં તો પંચાત માંજ રહી જાય છે. ભગવાન પણ સાહસિકો ની મદદ કરે છે, પેલા નકામા ઓની નહીં.માટે જોખમ ઉઠાવો સતત પ્રયત્ન કરો ભુલો થવાથી ડરશો નહીં. તમને ભુલ માંથી પણ કંઈ શીખવા મળશે.જીવન માં નાની નાની વાત થી હતાશ થશો નહીં. તમે સીધી રીતે યોગ્ય જગ્યા એ ન આવો તો ઉપર વાળો તમને આવી રીતે નુકશાન કરે છે.ત્યારે તમે એના રસ્તે ચાલો છો.સફળ થવું હોય તો પહેલા નાના કામ થી શરુઆત કરીને ધીરે ધીરે મોટા કામ સુધી પહોંચાય છે.તેમાં કેટલાય અડચણો આવે છે.તમે તેને પાર કરી જાવો ત્યારે તમને એક સરસ અડચણ વગર નો રાહ મળે છે. જે તમને મંજીલ સુધી લઈ જાય છે.તમારી મહેનત સાચી હશે તો ભલે તમારો દાવ કરી જાય પણ કોઈ એવો મળી જશે કે તમને તમારી મંજીલ સુધી લઈ જશે, પણ હા કોઈ સ્વાર્થ માટે કે લાલચ થી કરશો તો નહીં થાય તે ન્યાય છે.

        તમારી મંજીલ એવી પણ હોય છે જેમાં તમારા પોતાના પણ દુશ્મન બની જાય છે. તમે જો નક્કી કર્યું કે તમારે આ કામ કરવું જ છે ને કરી શકશો તો તમારે તે કામ કરી દેવું કોઈ પણ હિસાબે તમે મિત્રો તરી જશો.સાહસ તો કરવો જરુરી છે. તમને કોઈ ભલે ગમે તે કે પણ તમારે કરવું જ છે તો કરી દેવાનું તમે સફળ થઈ જશો. 

   અત્યારે મોટીવેશન ના નામે ધંધો ચાલે લોકો ચકરાવે ચડાવવા નો તમે રસ્તો  ભુલી જશો,પછી સમજાશે કે મોડુ થઇ ગયું મારા યાર પછી પાછા આવું પણ મુશ્કેલ બની જાય એવું ન થાય તેની કાળજી રાખવી.

        શૈમી ઓઝા "લબ્સ"