balatakar thayel ek stri no patra books and stories free download online pdf in Gujarati

બળાત્કાર થયેલ એક સ્ત્રીનો પત્ર

બળાત્કાર થયેલ એક સ્ત્રીનો પત્ર

નામ- માધુરી
પુરુનામ માધુરી રમેશભાઈ ઓઝા
રહેણાક-અમદાવાદ 

આ બાયોડેટા કોઈ છોકરીનો હું એમજ નથી આપી રહ્યો,આ એ છોકરી છે જેમણે બે નરાધમો એ બળાત્કાર કરી કોઈ જંગલ જેવી જગ્યામાં  ફેંકી દીધી હતી.

આ વાત છે બળાત્કારના સાત વષઁ પછીની મહેશ માધુરીના ઘરે આજ તેને જોવા માટે આવાનો હતો.માધુરી આજ સવારથી ખુશ હતી કેમકે તેને એક વેલ એજયુકેટોડ છોકરો જોવા આવવાનો હતો.

સવારમાં ૯:૦૦ વાગ્યે સમાચાર મળ્યા કે તે લોકો હવે જોવા નથી આવતા.માધુરીને ખબર પડી ગઈ તેનું કારણ માત્ર એક જ હતું કે તેના પર થયેલ બળાત્કાર..!!!!માધુરીને આવી રીતે ના પાડનાર આ તેવીસમો છોકરો હતો.માધુરીથી આજ રહેવાણુ નહી.
માધુરી એ મહેશના ઘરે પત્ર લખ્યો...!!

નામ-માધુરી
પુરુ નામ માધુરી રમેશભાઈ ઓઝા
રહેણાક-અમદાવાદ 

હા, હું એ જ માધુરી જે તમે મને બે દિવસ પહેલા જ મારા ઘરે જોવા આવાના હતા.
મને બીજું કોઈ કારણ ખબર નથી કે તમે મને   શા માટે ના પાડી હોય પણ એક કારણ મને ખબર છે, તે મારા પર થયેલ બળાત્કાર?
તમને પણ કદાસ આ જ નડ્યું હશે,શાયદ!!!

હા,મારા પર બળાત્કાર થયો તે તો હું ઘણા સમયથી ભુલી ગઈ હતી ,પણ જ્યારેથી મે છોકરા જોવાનું શરુ કરુ ત્યારથી મને ફરી ફરી યાદ આવી જાય છે કે હું એક બળાત્કારી સ્ત્રી છું.

સ્ત્રીનું તો જીવન જ એવું છે કે તેને હમેંશા પડકારોના સામનો કરવાનો હોય છે.પણ ક્ષણિક જીંદગીનો આનંદ લેવો એ એની એક ખુશી છે.મે તો ક્ષણિક આનંદ લેવાની ખુબ કોશીશ કરી પણ ઘરની બહારના લોકો એ પણ કયા લેવા દે છે.

મારે કોઈ બીજી સારી એવી જગ્યા ગોતી મારી જીંદગીને મારે જીવીતી,મારે કોઈને પ્રેમ કરવો હતો ,પણ મને આજ ખબર પડી કે લોકોને તો પોતાની આબરુની પડી છે,લોકોને તો પોતાના ઈજતની પડી છે.એ શું કામને એક બળાત્કારી સ્ત્રી સાથે લગ્ન કરે..!!

જ્યારે મારા પર બળાત્કાર થયો ત્યારે મે ચાર વાર ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો.પણ,મારા બાપુજી એ મને બચાવી લીધી તેણે કહ્યું બેટા જીંદગી તો ખુબ સરસ છે.હજી તો તારે જીવવાનું ઘણુ બધુ બાકી છે.તે પછી એક પાડોશી એ કહેલું મારા બાપુજીને કે તારી છોડી પર તો બળાત્કાર થયો છે તેને કોઈ નહી લઈ જાય.તે ઘરમાં જ પડી રહેવાની છે.તે વેણ હું સાંભળી ઘરમાં પાંચમી વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.
પણ, દરવાજા મારા બાપુજી એ બહારથી કીધું જો માધુરી તું કઈ પણ કરીશ તો તારા બાપુજીના સમ છે.

હું દરવાજો ખોલીને બાપુજીને ભેટી પડી.
મારા કારણે મારા બાપુજી હેરાન થાય છે તે જાણી હું સતત ત્રણ દિવસ સુધી રડી.

આજ સાત વષઁ પછી ફરી વાર મને આપઘાત કરવાનું  મન થયું છે,કેમકે બળાત્કારી સ્ત્રીને કોઈ પ્રેમ કરવા વાળું નથી.અને હા,આજ મારા બાપુજી પણ નથી એ તો છ મહીના પહેલા ભગવાને ધામ પોંહચી ગયા છે.
આજ મને કોઈ રોકવા વાળું પણ નથી.
અને હા, માધુરી મારા સમ છે..!!જો તુ એવુ કરીશ તો..!!!એવું કોઈ આજ કહેવા વાળું પણ નથી.



                                             - માધુરી

દીકરીનું દુઃખ એક બાપ સિવાય કોઈનો સમજી શકે..
એટલે તો કેહવાય છે,દીકરી એ વહાલનો દરિયો છે..
પણ જીવનએ ઈશ્વરની અમુલ્ય ભેટ છે...એ યાદ રાખવું જોઈએ દરેક વ્યક્તિ એ.....

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...