Uday - 19 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૧૯

દસ મિનિટ લાગી ઉદય ને ભાન માં આવતા . આજ સુધી તે વિચારતો હતો કે તેની પત્ની એ તેને લીધે આત્મહત્યા કરી છે . હવે તેના ક્રોધ નો પારો ચડવા લાગ્યો હતો .તેને ક્રોધ માં એક મોટો પથ્થર ઉપાડ્યો અને રોનક ને મારવા જતો હતો ત્યાં બે હાથે તેને પાછો ખેંચ્યો. હાથ કમજોર હતા પણ તે હાથો ની કોમળતા એ તેને રોકાવા મજબુર કર્યો . તેને પાછળ વળીને જોયું તો દેવાંશી ઉભી હતી . હજી એક પડછાયો દૂરથી આ દૃશ્ય જોઈ રહ્યો હતો . જયારે તે રોનક ને મારવા જતો હતો ત્યારે તે પડછાયો આગળ વધ્યો પણ જેવી દેવાંશી દ્રશ્ય માં આવી તે પડછાયો તેની જગ્યા પર ઉભો રહ્યો અને આગળ શું થાય છે તે જોવા લાગ્યો . દેવાંશી એ કહ્યું કે આ શું કરી રહ્યા છો પલ્લવ ? પલ્લવે કહ્યું તે જોયું નહિ રોનકે શું કહ્યું ? દેવાંશી એ કહ્યું મેં બધું જોયું અને સાંભળ્યું પણ હત્યા એ આ સમસ્યા નો ઉકેલ નથી તમે એક ગુનાસર જેલ માં જઈ આવ્યા છો જે તમે નથી કર્યો અને હવે બીજો ગુનો તે પણ હત્યા અને તે પણ એવી વ્યક્તિ ની જેના પિતા એ તમને આશરો આપ્યો કોઈ પણ જાતની ઓળખાણ અને તપાસ કાર્ય વગર. પલ્લવ ભાંગી પડ્યો નાના બાળક ની જેમ રડવા લાગ્યો અને કહ્યું શું ભૂલ હતી મારી ? નાના બાળકો ની તસ્કરી અને હત્યા કરતી વ્યક્તિઓ વિરુદ્ધ સાથ આપ્યો અને મને શું ફળ મળ્યું હું જેલ માં ગયો અને મારી પત્ની અને બાળક ની હત્યા કરવામાં આવી અને તેમાં આ વ્યક્તિ સંડોવાયેલી હતી જેને હું મારો દોસ્ત માનતો અને તેને ફક્ત પૈસા માટે મને બરબાદ કરી દીધો . દેવાંશી એ પલ્લવ ને બાહો માં ભરી લીધો અને તેને રડવા દીધો . થોડી વાર પછી જયારે પલ્લવે રડવાનું બંધ કર્યું તે બોલી કે રોનક ને મારવાથી શું થશે ખરો ગુનેગાર તો સ્વામી છે તેને સજા થવી જોઈએ , તે બધી સમસ્યા નું મૂળ છે અને તે જો સળિયા પાછળ જશે તો ઘણા બાળકોના જીવ બચી જશે .

અને રોનક રાવણ ના ઓજાર ની વાત કરતો હતો તે શું છે ?

આ ફક્ત એ સવાલે ઉદય ને ધરતી પર લાવી દીધો. ઉદય હોશ માં આવી ગયો તેને લાગ્યું કે સારું કર્યું દેવાંશી એ તેને વાર્યો નહીંતર તેના હાથે સમય પરિવર્તન ના એક મોટા નિયમ નો ભંગ થઇ જાત .

દેવાંશી એ તેને હલાવ્યો અને પૂછ્યું શું વિચારમાં પડી ગયા પલ્લવ ? ઉદયે કહ્યું કે કહી નહિ હું વિચારતો હતો કે તે ઓજાર શું છે ? મને તેમાં કઈ ખબર ના પડી. દેવાંશી મારા માટે એટલું કરજે આ વાત કોઈને કરતી નહિ. હું કાલે વિચારીશ કે આગળ શું કરવું ? પ્લીઝ ? દેવાંશી એ કહ્યું તમારે મને પ્લીઝ કહેવાની જરૂર નથી હું તમારી મનોસ્તિથી સમજુ છું અને મને તમારા પ્રત્યે હમદર્દી છે તમે નિશ્ચિંન્ત રહો હું આ વાત કોઈને નહિ કહું. પછી તેને રોનક ને આદેશ આપ્યો અને કહ્યું કે અત્યારે તમે જે વાત કરી તે તમે ભૂલી જશો તમે કોઈને કઈ કહ્યું નથી . પછી રોનક ને સંમોહન માં થી બહાર કાઢ્યો અને તે જાગે તેના પહેલા તેને બેહોશ કરી દીધો અને ખભે ઉપાડીને દેવાંશી ને કહ્યું ચાલો હું તમને ઘરે મૂકી જઉં . પછી તે લોકો અંધારે રસ્તે ચાલવા લાગ્યા .પણ અંધારે રસ્તે દેવાંશી ના મનમાં પ્રકાશ પડ્યો તે આગળ ચાલતા પલ્લવ ને જોઈને વિચારવા લાગી કે આટલી સહાનુભૂતિ થાય છે પલ્લવ માટે કેમ આટલું ખેંચાણ અનુભવે છે શું તેને આટલું દુઃખ ભોગવ્યું જે જીવન માં તેને માટે કે પછી તેને પલ્લવ માટે પ્રેમ થયી ગયો છે ?

નયનાભાભી તો તરત ગામડે પાછા આવવા ન માંગતા હતા પણ તેણે ભાભી ને કહ્યું તમારા ભાઈ અને ભાભી ખબર નહિ કેટલા વર્ષે પાછા આવશે ? તો આપણે અત્યારે તેમની સાથે જઈશું તો મજા આવશે અને મારે હજી રજાઓ બાકી છે . જેમ તેમ પટાવીને ફક્ત પલ્લવ ના ખેંચાણ ને લીધે તે ફરી ગામડે આવી હતી .

દેવાંશી એ ફરી પોતાને પલ્લવ પ્રત્યે પ્રેમ છે ? અને શું પલ્લવ ને મારા પ્રત્યે તેવી જ લાગણી છે ? તેની આંખો તો કહે છે તેના મનમાં કંઈક તો છે પણ જ્યાં સુધી તે પોતાની જબાન થી ન કહે ત્યાં સુધી આ સવાલ નો જવાબ ભવિષ્ય પર છોડ્યો અને પલ્લવ ની પાછળ ચાલવા લાગી .

ઉદય જયારે રોનક અને દેવાંશી ને મુકો પાછો ખેતર માં આવ્યો ત્યારે કોઈ તેની રાહ જોઈ રહ્યું હતું .જયારે તે પડછાયો અજવાળામાં આવ્યો ત્યારે જોયું તે કટંકનાથ હતા.કટંકનાથે કહ્યું કે તમે ઓજાર લઇ આવ્યા તો ઉદયે ના પડી અને કહ્યું કે મેં યોજના બદલી દીધી છે હવે હું અસીમાનંદ ના આશ્રમ માં જઈશ અને પછી ઓજાર લાવીશ . કટંકનાથે કહ્યું કે તમે ભૂલ કરી રહ્યા છો તમને અસીમાનંદ ની શક્તિ નો અંદાજો નથી એક વાર ઓજાર તેની પાસે પહોંચી ગયું તો તમે નહિ પહોંચી વળો . તમને તાલીમ જરૂર આપવામાં આવી છે પણ હજી તમે અસીમાનંદ સામે નાઉ બાળક જ ગણાઓ. ઉદયે કહ્યું કે હું તેનો સામનો કરવા તૈયાર છું તેણે મારી પત્ની અને બાળક બંને નું ખૂન કરાવ્યું છે તેની સજા તો તેણે હું જ આપીશ તમે હું કહું તેમ કરો તો તો રાવણ નું ઓજાર અસીમાનંદ સુધી નહિ પહોંચે પછી તેણે કટંકનાથને યોજના જણાવી. કટંકનાથે માથું હલાવ્યું અને કહ્યું આ યોજના તો સારી છે પણ હું એક સલાહ આપીશ કે બદલા ની ભાવના મનમાં રાખીને અસીમાનંદ સાથે નહિ જીતી શકો તમે પોતાનું કર્મ સમજીને કરશો નો કદાચ સફળ થશો છતાંય મારુ કહેવાનું માનો અને અસીમાનંદ સાથે ટકરાવાનું માંડી વાળો અને ઓજાર અત્યે જ કબ્જામાં લઇ લો અને હું કીયંડુનાથ ને બોલાવી લઉં છે તમને સમય ની પેલે પાર લઇ જશે .

ઉદયે ડોકું ધુણાવ્યું અને કહ્યું તમે મારી યોજના પર ચાલો .

અને કટંકનાથ અંધારામાં અલોપ થઇ ગયા .