Uday - 25 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૨૫

આ વખતની ઉદયની તાલીમ પાછલા વખત કરતા કઠણ હતી પરંતુ ઉદય નો આ વખતનો જુસ્સો કઈ ઓર હતો . તેને શીખવાડવામાં આવેલ દરેક વિદ્યા તે માંથી શીખવા માંગતો હતો . મળેલી હાર અને ભભૂતનાથ નો તેના પાર મુકેલો વિશ્વાસ કદાચ તેના પ્રેરણાસોત્ર હતા . હવે પછી જો કદાચ અસીમાનંદનો સામનો થાય તો તે માટે માનસિક રીતે પણ તૈયારી કરી રહ્યો હતો . સર્વપ્રથમ તેને ભાવના પાર નિયંત્રણ કરવાનું શીખવાવમાં આવ્યું અને વેશાન્તર પણ શીખવવામાં આવ્યું . હવે તે વેશાન્તર માં પ્રવીણ થયી ગયો હતો હવે તે કોઈનું પણ રૂપ ધરી શકતો તેમાં સૌથી કઠણ હતું જેનું રૂપ લીધું હોય તેના હાવભાવ અને તેના અવાજની આબેહૂબ નકલ કરવી. વિવિધ પશુ પક્ષી ના અવાજ ની નકલ કરવી . તેને જીવન માં ના જોયા હોય તેવા હથિયારો ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું . તેમાં તેનું મનપસંદ હથિયાર હતું ભાલા અને કુહાડી ના મિશ્રણ કરી તૈયાર કરેલ ખાંડવ નામનું હથિયાર . તેમાં લાંબો ભાલો એક બાજુ પાર અને બીજી બાજુ પાર બેધારી કુહાડી હતી . તે ખાંડવ ને વીજળી વેગે ફેરવતો કે તેના પાર છોડવા આવેલા બાણ પણ તેના સુધી પહોંચી ના શકતા .

દસ દસ કલાક ની તાલીમ પછી તે માત્ર બે ત્રણ કલાક આરામ કરતો . અને સાથે યોગાભ્યાસ પણ ચાલુ રાખ્યો . ત્રણ દિવસ ની તાલીમ ના અંતે ભભૂતનાથે તેને ચોથા દિવસ ની યોજના વિષે ચર્ચા કરવા બોલાવ્યો . તેને યોજના સમજાવતા કહ્યું કે અત્યારે ત્યાં ઓજાર ની શુદ્ધિ માટે ની વિધિ ચાલી રહી છે તેમાં સૌથી છેલ્લે એક કુંવારી સ્ત્રી ની બળી આપશે અને એક સ્ત્રી નું અપહરણ કરીને લાવ્યા પણ છે. તમારે તમારે પ્રવેશીને તે સ્ત્રી નું રૂપ ધારણ કરવાનું છે . અને તમને એક હથિયાર આપું છું જેનાથી તે ઓજાર પર વાર કરશો એટલે તે નકામું થઇ જશે. આ હથિયાર એક તલવાર છે જે ઘણા સમય પહેલા મહાશક્તિ મહારાજા રામ ના રૂપે અવતર્યા હતા ત્યારે તેમના નાના ભાઈ લક્ષ્મણ ને આપેલી હતી અને લક્ષ્મણે મને તેમની સેવા બદ્દલ રાવણ સાથે ના યુદ્ધના પછી આપી હતી . લક્ષ્મણ પણ મહાશક્તિઓ માંથી એક હતા . અત્યારે ધરતી પર આ એકજ હથિયાર બચ્યું છે જેનાથી તે ઓજાર નો નાશ થઇ શકે.મહારાજા રામના હથિયારો ક્યાં છે તે કોઈ જાણતું નથી. આ તલવાર નો વાર ફક્ત ઓજાર પર કરજો અસીમાનંદ પર ન કરતા. અસીમાનંદ સાથે યુદ્ધ કરવાનું થાય તો તમારું ખાંડવ અથવા ઉરૃમી વાપરજો .લક્ષ્મણજી ની તલવાર ને અપવિત્ર ન કરતા.

સર્વેશ્વરનાથ તમને મદદ કરશે.

બીજે દિવસે સવારે સર્વેશ્વરનાથ અને ઉદય જરખ જ્યાં રહેતો હતો તે વસ્તી તરફ જવા નીકળી પડ્યા. સર્વેશ્વર નાથે કહ્યું આમ ચાલીને નહિ પહોંચી શકીયે એટલે દોડવાનું શરુ કર્યું કલાકો સુધી દોડ્યા પછી તેઓ એક પહાડી પર પહોંચ્યા . તે પહાડી ની બીજી તરફ વસ્તી હતી.હજી અજવાળું નહોતું થયું. તેઓ વસ્તી ની બહાર એક ઝાડ પાછળ છુપાઈ ગયા ને પ્રવેશદ્વાર નું નિરીક્ષણ કર્યું . અદ્વૈત ત્યાં ઉભો હતો . બે જણા વસ્તી ની બહાર નીકળતા જણાય એટલે ઉદય અને સર્વેશ્વર નાથે તેમને પકડીને બેભાન કર્યા અને તેમનું રૂપ લઈને વસ્તી માં પ્રવેશી ગયા હવે તેમને ગુફા ને શોધવાની હતી . ઘણું બધું ચાલ્યા છતાં તેમને ગુફા મળી નહિ એટલે એક વ્યક્તિ ને સંમોહિત કરીને સાથે લીધો અને ગુફા ના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા . વસ્તી માં આવતી દુર્ગંધ થી ઉદય નું માથું ફાટ ફાટ થતું હતું પણ યોગાભ્યાસ ના બળે તેણે પોતાના પર કાબુ મેળવ્યો.

ત્યાં નજીક માં એક કુટિર હતી તેમાં પ્રવેશી ગયા અંદર એક યુવતી ને બાંધી રાખી હતી. તે યુવતી એ તેમની તરફ જોયું અને ચીસ પાડવા જતી હતી તો સર્વેશ્વરનાથે તેણે ચૂપ રહેવાનો ઈશારો કર્યો . ઉદયે પૂછ્યું તેને ક્યાંથી લાવ્યા છે પણ તે કઈ બોલી શકી નહિ. તેને થોડું પાણી પાયા પછી તેણે જર્મન ભાષા માં પૂછ્યું કે હું ક્યાં છું અને તમે કોણ છો ? આ કદાચ થોડા સમય પહેલાની વાત હોત તો તેણે કઈ ખબર ના પડી હોત પણ હવે તે જગત ની ઘણી બધી ભાષાઓ શીખી ગયો હતો . તેણે જર્મન ભાષા માં ઉત્તર આપ્યો કે તે રાક્ષસો ના ચંગુલ માં ફસાઈ ગઈ છે અને અત્યારે આફ્રિકા માં છે અને આ ભાઈ તને તારા ઘરે સહીસલામત પહોંચાડશે . એટલું કહીને તેણે બેહોશ કરી દીધી અને સર્વેશ્વરનાથ ને તેવું કરવાની સૂચના આપી . પછી તેણે તે યુવતી નું રૂપ લીધું અને તે યુવતી ની જગ્યા પર બંધાઈ ગયો અને સર્વેશ્વરનાથ તે યુવતીને ખભે નાખીને પાછળ ના દ્વાર થી નીકળી ગયા.

ઉદય ને હવે ઇંતેજાર હતો અસીમાનંદ નો