DEATH AFTER DEATH. the evil of brut - 49 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 49

જો કે આવા ઘોંઘાટ રહિત અને નિરજન સન્નાટા ઓ અને તે પણ જંગલના એ તો કોઇ પ્રખર સન્યાસી ને પણ હચમચાવી મુકી શકે તેમ છે. જ્યારે રોમને આવા સન્નાટાઓ માં કંઈક કેટલીય રાત્રીઓ વિતાવી કાઢી છે.
ભારતીય શાસ્ત્રોમાં કેટલાક સ્થાનો પર કેટલાક ઋષિમુનિઓનેે વનમાં એટલે કે ગીચ જંગલમાં તેમની કુટીર બાંધીનેે તપસ્યા કરતા બતાવવામાં આવેલાા છે. તો બીજી બાજુ એવા પણ દ્રષ્ટાંતો છેેે કે ફલાણાએ ફલાણાને આટલા વર્ષોનો વનવાસ આપી દીધો. જે વન ની અંદર ઋષિમુનિિઓ પોતાની સ્વેચ્છાએ રહેતા હતા તેે જ વન ની અંદર કોઈકનેે બળાત્કારે મોકલવામાં આવતા હતા. પરંતુ રામ જેેેવા સમજુ અનેેેે આજ્ઞાકારી પુત્ર એ બીજી જ સેકન્ડે હાથ જોડીનેે આજ્ઞાનો સ્વીકાર કરી લીધો અને કહી દીધું કે હું વનવાસ ભોગવવા તૈયાર છું. જે લોકો વનવાસ નો
દંડ ભોગવે છે અને જે લોકો પોતાની સ્વેચ્છાએ વનમાં નિવાસ કરે છે વાસ્તવમાં આ બંને ને એક સમાન જ ફળની પ્રાપ્તિિ થતી હોય છે.અને તેેે ફળ નું નામ છે પાપનાશક. વનવાસ કરવાથી પાપોનો નાશ થાય છે અને કદી નાશ ના થાય તેવું દિવ્ય આરોગ્ય પ્રાપ્ત થાય છે. કૈકેેેયી ને સંસાર નકારાત્મક રીતે જાણે છે અને સમજે છેે. પરંતુ એ પરમ નારી જાણતી જ હતી કેેેે રાક્ષસ જાતિનો નાાશ કરવા માટે વનવાસ ભોગવો અનિવાર્ય છે.અને શ્રી કૃષ્ણ જેવો પરમ તેજસ્વી પણ ભલીભાતી જાણતો જ હતો કેે મહાભારતના યુધધમાં ધર્મનો વિજય કરાવવા માટેેેેે પાંડવોએ પણ વનવાસ ભો અનિવાર્ય જ છે . વનમાં નિવાસ કરવાથી પાપોનો નાશ થાય છે અનેેે ચિરકાળ નું યોવન પ્રાપ્ત થાય છે.રાવણ જેને વનવાસી રામ કહી ને અપમાનિત કરતો હતો તે વન નિવાસી રામ જ રાવણના અંત ની શક્તિઓ વનવાસ માંથી ભેગી કરી રહ્યોો હતો.અને જે પાંડવોના વનવાસ ને કૌરવો પોતાનો વિજય સમજતા હતા તેને શ્રી કૃષ્ણ મહાભારત ના યુદ્ધ ના વિજય નું પ્રથમ પગથિયું સમજતો હતો.અને અહી પણ જે વાસ્તવિકતાનો રોમન અસ્વીકાર કરીી રહ્યો છે તે જ વનવાસનીી વાસ્તવિકતા રોમનના સંપૂર્ણ જીવન ના કંઈક કેટલાયે દુષણો નો નાશ કરી રહ્યું છે.એટલે નિયતિ માનવીને જે કઈ પણ આપેે છે તે તેનાા સારા માટે જ આપતી હોય છે. બસ, માનવી જ તેનીી અલ્પ બુદ્ધિ અનુસાર આવી પરિસ્થિતિઓને સુખ અને દુઃખ આવા બે નામો માં વિભાજીત કરી દેતો હોય છે.અને પછી ક્યારેક હસે છે તો ક્યારેક રડે છે.


રોમનનો વાંસનો મચાન હલી રહ્યો છે અને તેમાંથી સુુુુતળી અને વાસના ઘર્ષણ નો અવાજ પણ આવી રહ્યો છે. રોમન ફરીથી નીચે ઉભો ઉભો તેના વાસનાા મચાંન ને હલાવે છે અને જંગલમાંં અત્ર-તત્ર-સર્વત્ર દ્રષ્ટિ પાત કરે છે. પછી સહેજ સુઘે છે અને વિચારીને બોલે છે રાતનાા બે વાગ્યા છે.આ સાથેેે તરત જ રોમન ના કાન પાસે એક બ્રેકિંગ નૉઈસ સંભાળાય છે. પરંતુુુુુ રોમન તેને નજર અંદાઝ કરતો કરતો મચાંન પર ચડવા લાગે છે.અને સુતળી અને વાસના ઘર્ષણનો અવાજ ફરીથી શરૂૂ થા છે. જંગલની રાત્રિના આ નિર્જન સન્નાટામાં અત્યારેેેે જો જંગલનો રાજા સિંહ પણ આવેે તો પણ તે એકવાર તો ઉભી પૂંછડીએ ભાગી જ જાય. પરંતુ રોમન હવે ટેેેેવાઈ ગયો છે. ગંદો ગલીચ રોમન તેના મચાન પર ચડી ને રાત્રિ ના કાળા ડિબાંગ અંધકારમાં એકાકાર થાય છે. કારણ કે રોમન પોતે પણ અત્યારે આવો જ કાળો ડિબાંગ જ દેખાઈ રહ્યો છેે. અર્થાત ગંદો બદબુદાર અને કાળો ડિબાંગ.

રાક્ષસ જાતિનો તો જાણે કેે નાશ જ થઇ ગયો છે. પરંતુ જો કોઈ રાક્ષસ પણ અત્યારે રોમન ને જોઈ લે તો એ પણ ભયના માર્યા શિવ ની સ્તુતિ જ કરવા લાગે.