UABJHOKE - an europian warriors - 1 books and stories free download online pdf in Gujarati

UABJHOKE - an europian warriors - 1

UABJHOKE ~ rise of the flame

_______________________________________________________________
Part-1

_______________________________________________________________
Introduction:-------

Europe ના રાજ્યો:-(lean&Castile, England, France, German, Denmark, Poland, Hungary, Norway , Sweden)
_______________________________________________________________


HUNGARY પણ હવે ચારેય બાજુ થી હારી ગયું હતું, જ્યાં જુઓ ત્યાં લડાઇ ના અવશેષ હતા. ઠેર ઠેર લોહી ના અને લાશો ના ઢેર લાગી ગયા હતા. આટલા બધા લોકો વચ્ચે એક વ્યક્તિ જીવિત હાલત મળી આવ્યો, તેને SWEDEN લઈ જવાયો. ત્યાં એના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો "UABJHOKE".....(ઉઅબજહોકી)

પછી પાછળથી ખબર પડી કે 50000 માણસોની સેનાએ લાખોની સેના પર હુમલો કરી જીતી ગયા. આ થવાનું મહત્વ નું કારણ માત્ર ને માત્ર UABJHOKE હતા.કોઈના વિશ્વાસ માં ન આવી શકે તે બાબત હતી. ઇ.સ. 1000 પછી દરેક યુદ્ધમાં UABJHOKE નું નામ પહેલા લેવાતું હતું. તેઓને કોઈએ જોયા ન હતા. પણ તેઓ લાખો પર ભરી પડતા હતા. તેઓની બહાદુરીના કિસ્સાઓ તો જણાવતા કેટલાય દિવસો નીકળી જાય, જો યુદ્ધમાં તેઓ તમારી સાથે હોય તો યુદ્ધ માં જીત એમની લખી હોય છે. તેઓ ક્યારેય હાર્યા ના હતા.

વાત છે ઇ.સ. 942 ની જયારે યુરોપ ના દરેક રાજ્ય પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે સતત યુદ્ધ કરી રહ્યા હતા, તેમાં સામાન્ય લોકો મૃત્યુ થવા લાગ્યા. સત્તાના ભોગમાં રાજા ઓ પોતાની પ્રજા ગુમાવી રહ્યા હતા. થોડા વર્ષો સુધી આવા યુદ્ધો થયા રહ્યા. ઘણા યુદ્ધો પછી અમુક રાજ્યો વધારે ચર્ચામાં આવ્યા. જેમાં તેઓને રાજ્ય વિસ્તાર તે સમયે વધારે (ઇ.સ. 968) અને મહત્વના હતા. અને આ રાજ્યમાં મહત્વના હતા. lean & castile, england, france, german, denmark, poland, hungary, norway, sweden (હમણાં ના સમય અનુસાર તે વિસ્તારના નામ હમણાં ) અને આના જેવા અનેક રાજ્યો હતા. પણ આ રાજ્યોને ખબર ના હતી કે તેમના આ યુદ્ધના કારણે પાછળ થી તેઓએ ધણુ ભોગવવાનું હતું. આ બધા હજુ પણ બધા વિસ્તાર ને પોતાના કરવા માટે ઘણા પ્રયાસો કરતા હતા. તે બધા પ્રયાસો માં એક પ્રયાસ હતો "uabjhoke".

Denmark ના રાજાએ વિચાર્યું કે રાજ્ય વિસ્તારથી લડાઈ માં સૈન્ય થી કઈ થવાનું નથી. તો એમને પોતાના રાજ્ય ના એવા લોકોને શોધવાનું શરૂ કર્યું જેના લડાઈ માં બધા સગાઓનું મૃત્યુ થઈ ગયું હોય અને બદલો લેવા માટે આતુર હોય. યુવાનો, બાળકો તેને મળી ગયા. આ બધાને એણે યુદ્ધ માટે અને લડાઈ માટે કુશળ બનાવ્યા. સમય વીતતો ગયો અને બધા યુવાનો યુદ્ધ કરવા માટે કુશળ થઈ ગયા. તેમને યુદ્ધમાં મોકલવામાં આવ્યા. અને તેઓ સારી એવી કુશળતાથી લડી રહ્યા હતા. પણ બાળકોને હજુ યુદ્ધ માટે ન મોકલાયા હતા. તેઓને બધી બાબતોમાં કુશળ બનાવવામાં આવી રહ્યા હતા. બાળકો આઠ જ હતા પણ તેમને એવા ઘડવામાં આવ્યા હતા કે તેઓ હજારો ને મારવાનું સાહસ ધરાવતા હતા. પણ denmark એ ધારેલું ના થયું. denmark પાસે સૈન્ય ઓછું હતું. તેથી તેના હજારો ની સંખ્યાની સૈન્ય સામે હારી ગયા અને તેનો અડધો રાજ્ય વિસ્તાર અન્ય રાજય પાસે ચાલ્યો ગયો.

તેમાં આ બાળકો ને જ્યાં ઘડવામાં આવતા હતા તે વિસ્તાર પણ ચાલ્યો ગયો. બીજા રાજાને આ વાતની ખબર પડતાં જ તેઓને પોતાના સૈન્યમાં જોડી દેવાનો વિચાર આવ્યો.પણ બાળકો એ ના પાડતા જણાવ્યું કે અમે માતૃભૂમિ માટે જન્મ લઈએ છીએ તો ક્યારેય માતૃભૂમિ થી વિરુદ્ધ ના જઈશું. આ સાંભળી રાજાએ તેઓને બંદી બનાવી લીધા. બાળકો માત્ર 14 થી 15 વર્ષના હતા. તેઓને આટલી નાની ઉંમરમાં જેલવાસ ભોગવવો પડતો હતો. જોત જોતામાં 3 વર્ષ વીતી ગયા . આખરે રાજાએ તેમને પૂછ્યું કે હવે તમારે મારી સૈન્યમાં જોડાવું છે કે મૃત્યુ ને ભેટવું છે. તે છતાં આઠેય છોકરીઓએ ના પાડી. રાજાને ગુસ્સે આવ્યો અને આઠેય ને ફાંસી ની સજા ફરમાવી. પણ તે આઠેય છોકરાઓ તે જ દિવસના રાત્રીના સમયે તેના કડક બંધોબસ્ત વાળી જેલમાંથી ભાગી ગયા. તેઓને સહારો માત્ર હોવી denmark નો રાજાનો હતો.

રાજાથી સહન ન થતા. એ આઠ છોકરાને પકડવા તેણે તેની સૈન્યનો આઠમો denmark તરફ મોકલ્યો. થોડો દિવસો પછી સંદેશો આવ્યો કે સેનાનો આઠ માં ભાગનો વિનાશ થઈ ગયો છે. denmark ના રાજાએ તેની સૈન્ય વડે તેઓને મોતના ઘાટ ઉતારી દીધા છે પણ આ કાર્ય માં તે આઠ યુવાનોનું ઘણું મહત્વ હતું. એ આઠમાંથી ચાર યુવાનો denmark ના રાજાને સંદેશો મોકલવા માટે ગયા અને બકીઓના ચાર આ તરફથી denmark ના સૈન્ય એ તેમને ચારેય બાજુથી ઘેરી લઈને બધાને મોતના ઘટે ઉતારી દીધા. ત્યાર પછી બીજા રાજાએ યુદ્ધ કરવાનો સંદેશો મોકલ્યો.

denmark પાસે સૈન્ય ઓછું હતું છતાં લડવા તૈયાર થાય. તે આઠ યુવાનોને કિલ્લામાં જ રાખવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જો આપણે હારી જઈશું તો આ રાજ્યના લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવાની જવાબદારી તમારી રહેશે.

denmark હારી ગયું ના સંદેશો માળતાં જ તે આઠ યુવાનો એ આખું રાજ્ય ખાલી કરાવ્યું પણ તેઓ ત્યાં જ રહ્યા. બીજો રાજા તેના કિલ્લા પાસે આવી ગયા અને તરત જ આઠેય યુવાનો એ તેમના પર પ્રહાર ચાલુ કરી દીધા. રાજા ને ગુસ્સો આવતા તેને વિચાર્યા વગર તેના લાખોની સૈન્ય સાથે કિલ્લા પર આક્રમણ કર્યું અને આઠેય યુવાનો ગુપ્ત રસ્તા વડે કિલ્લા ની બહાર જતા રહ્યા અને સળગેલું બાણ કિલ્લા તરફ જાવા દીધું. તેમને આખો કિલ્લો બારુડ, ગંધકથી ભરી દીધો હતો. બાણ પોહચતા જ આખો કિલ્લો સળગી ગયો અને રાજા સાથે તેનું સૈન્ય પણ સળગી ઉઠ્યું. માત્ર યુવાનો લાખોની સૈન્ય ને બુદ્ધિ થી હરાવી દીધું.

તેઓની આ વાતની જાણકારી મળતાં જ બીજા રાજ્યના રાજાઓ તેના રાજ્યનો વિસ્તાર વધારવા denmark ને પોતાના રાજ્ય માં લઇ લેવા માટે denmark પર ચઢાઈ કરી. આઠેય યુવાનો તેની પ્રજા સાથે બીજી જગ્યા તરફ પ્રસ્થાન કર્યું. પણ આ યુદ્ધ થી યુવાનોને લાગ્યું કે વગર કારણે બીજાઓને મારવું એ સારું નથી. આપણે આ સત્તાનો ભોગ છોડીને શાંતિનો રસ્તો અપનાવો પડશે નહીંતર છેલ્લે સત્તા તો રહેશે પણ સત્તા નિચેની પ્રજા ના રહેશે. આવા વિચારો સાથે તેઓ સાદું જીવન જીવવા લાગ્યા પણ તેમને આ નિર્ણય બદલવો પડ્યો.

denmark છોડીને તેઓ poland રહેવા ચાલ્યા ગયા. ત્યાં પણ પરિસ્થિતિ એવી જ હતી. સત્તાની લડાઈમાં લોકો પોતાના સગાઓને પણ મારી નાખતા હતા. આવા સમયે પણ આઠેય યુવાનો નિયમ અડગ હતો કે વગર કારણે બીજાને મારવું નહીં. આ આઠેય યુવાનોને એક વૃદ્ધા પોતાના ઘરે રાખતા હતા. આ આઠેય યુવાનો દિવસ ભર કામ કરી પૈસા કમાઈને તે વૃદ્ધા ને આપતા અને તેમનું ગુજરાન કરતા હતા. આઠેય યુવાનો અને વૃદ્ધા વચ્ચે જાણે માતા વને દીકરા જેવો સબંધ બંધાઈ ગયો હતો.

એક રાત્રે અચાનક hungary ના રાજા એ poland પાર હુમલો કરી નાખ્યો. hungary ના સૈન્ય એ નિશસ્ત્ર અને સુતેલા નગર વાસીઓને મોતને ઘાત ઉતારી દીધા. આઠેય યુવાનો ના ઘરે પણ સૈન્ય આવી પોહચ્યા પણ તેઓએ સૈનિકો મારી ભગાડ્યા. આ લડાઈમાં વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું. આઠેય યુવાનો થી આ સહન ન થયું પણ તે સમયે તેઓ પાસે સૈન્ય ન હતું તેથી તેઓએ ત્યારે ત્યાં થી પલાયન કર્યું પણ એક દ્રઢ નિશ્ચય કર્યો હતો કે આનો બદલો લેવાશે અને બરબાદી નો એક એક કણ નો હિસાબ લઈશું.

થોડા દિવસો સુધી તેઓ અલગ અલગ રાજ્યોમાં ભ્રમણ કર્યું. બધા રાજ્યો માં આવી જ પરિસ્થિતિ હતી. સત્તાના ભોગમાં સામાન્ય લોકો એ પોતાની ઝીંદગી આપવી પડતી હતી.

denmark છોડ્યા ના 4 વર્ષ પછી તેઓ પાછા પોતાની જન્મભૂમિ પોહચ્યા અને તેમને યોદ્ધા તરીકે ઘડવામાં આવેલ પાઠશાળા પાસે પોહચ્યા. ત્યાં તેમના ગુરુની મૂર્તિ ને પૂજન કરી તેમને નિર્યણ લીધો કે આ સંહાર અમે બંધ કરીશું અને અમારું મૃત્યુ આ સંહાર બંધ કરવા વગર નહીં થાય. તેમને અલગ અલગ રાજ્ય માં જઈ શાંતિ પ્રસ્થાવ રાખ્યો અને પ્રજાને જાગૃત કરવાનો નિર્ણય લીધો. તેઓ અલગ અલગ વિસ્તારમાં જઇ શાંતિ ના સ્થાપના પ્રયત્ન કર્યા. પણ તેમને ધાર્યું હતું એવું ના થયું. યુદ્ધો થતા રહ્યા પછી આઠેય યુવાનો એ વિચાર્યું કે હિંસા રોકવા માટે હિંસા કારીને જ બંધ કરી શકાશે.

આ નિર્ણય સાથે તેઓ બધા રાજ્યમાં પોતાનો ભય કાયમ કરવા માટે યોગ્ય તકની રાહ જોવા લાગ્યા અને આ તક તેમને german અને france ના યુદ્ધમાં મળી ગયો. આ યુદ્ધમાં તેઓ german ના સૈન્ય માં જોડાયા. આ આઠેય યુવાનો એ લડાઈ માં મહત્વના પદ આપવામાં આવ્યા. યુદ્ધ નો આરંભ થયો. આઠએ યુવાનો ને લડત લડતા જોઇ france અને german બંનેના સૈનિકો અચંભીત થઈ ગયા. આંખના એક પલકારામાં તેઓ ત્રણ સૈનિકો ને મારી નાખતા હતા. તેઓની આ ઝડપ ને સામે તો સૈન્ય તેમની સામે નબળું પડી ગયુ. france ના સૈન્ય પર તો માત્ર આ યુવાનો જ ભારે પડ્યા. france યુદ્ધ હારી ગયું. તેઓની આ લડાઈ જોઈ german ના રાજા એ તેની સૈન્યનું દાયિત્વ એ આઠેય યુવાનોને આપી દીધું. આવું પેહલી વખત થઈ રહ્યું હતું કે આખા રાજ્ય ની સૈન્ય નું દાયિત્વ આવા યુવાનો ના હષ્ટક જવા જઈ રહયું હતું.

યુદ્ધ થયા ના થોડા દિવસો પછી german રાજ્ય પર અન્ય સૈન્ય ઘ્વારા ચઢાઈ કરવામાં આવી. કિલ્લામાં રહેલી હઝારો સૈન્ય ને કોઈએ પતાવી દીધા. બાકીના સૈન્ય એ શોધવામાં વ્યસ્ત હતા કે હુમલો ક્યાંથી થાય છે? આખા કિલ્લામાં શોધખોળ ચાલતી હતી એવામાં german ના સેનાપતિ ને પોતાના સૈન્યને મારતા થોડા દુશમનો દેખાયા. તેણે બધાને ચેતવ્યા અને બધાનું ધ્યાન તે તરફ દોર્યું. ધ્યાન થી જોતા ખબર પડી કે એ દુશ્મનો બીજા કોઈ નહીં પેલા આઠ યુવાનો જ છે. german નું વધેલું આખું સૈન્ય એ આઠેય પર તૂટી ગયું. પણ તેમની ઝડપ અને બુદ્ધિ સામે આખું સૈન્ય અકામું હતું. 12 કલાક ના યુદ્ધ ના અંતે તે આઠેય યુવાનો એ આખા સૈન્ય ને પતાવી દીધું. તેઓએ રાજાને પકડી લીધો અને પૂછ્યું શુ શાંતિ માટેની આ લડાઈમાં તે સાથે જોડાશે કે પછી મૃત્યુ ને પામશે. સવાલ પૂછતાં તે રાજા મુંઝવણ માં મુકાયો. તરત જ તલવાર વડે તેનું ગાળું કાપી નાખ્યું એ કહીને કે મુંઝવણ એ ક્યારેય આ સવાલનો જવાબ નથી. મુંઝવણ હંમેશા દગો આપવાની સંભાવના લઈને જ ઉભી થાય છે.

આ વાતની ખબર બીજા બધા રાજ્યો માં ગઈ. 22 વર્ષ ની ઉંમરે આવું સોર્ય જોઈ બધા ચોકી ગયા. આઠેય યુવાનો એ બધા રાજ્યોમાં શાંતિ પ્રસ્થાવ મોકલ્યો અને સાથે સાથે તેઓને ચેતવણી પણ આપવામાં આવી કે જો તમે આ પ્રસ્તાવ નહીં સ્વીકારો તો યુદ્ધ નિશ્ચિત છે. બધા રાજ્યો એ આ વાત હસી કાઢી અને પ્રસ્તાવ નકાળી નાખ્યો. આ બાજુ આઠેય યુવાનો એ એક સંઘટન તૈયાર કર્યું. જેને બધે આ નામે ઓળખાયું,

"UABJHOKE" (ઉઅબજહોકી)

આ નામ તેમનું દરેક નું પ્રતિનિધિત્વ કરતું હતું અને એમનું એક માત્ર સૂત્ર હતું,"join us, believe us, or else kill yourself ".(અમારા માં જોડાય જાવ, અમાંરા માં મનો , નકર પછી તમારી જાતને મારી નાખો) આ સૂત્ર સાથે તેઓએ પહેલું યુદ્ધ આરંભ કર્યું તેઓ એ બધા રાજ્યો ને યુદ્ધ ની તૈયારી કરવા કહ્યું જે રાજ્યો એ શાંતિ પ્રસ્થાવ ના માન્યો હતો.જેમાં તેમણે પહેલું યુદ્ધ lean & castile સાથે કર્યું. જેની પાસે કરોડો ની સંખ્યા માં સૈન્ય હતું. અને તેની સામે uabjhoke પાસે માત્ર લાખોની સંખ્યા જ હતી. છતાં 13 દિવસના અંતે uabjhoke જીતી ગયા. કરણ કે એમાં આઠેય યુવાનો ની ઝડપ અને બુદ્ધિનો કમલ હતા. તેઓએ માત્ર અડધી જ સેના પેહલા દિવસે યુદ્ધ માં લગાવી હતી. બાકીની સેનાએ સાતમા દિવસ યુદ્ધમાં ઉતારી પણ મહત્વ નું એ હતું કે યુવાનો એ પાછળ થી હુમલો કર્યો. LEAN & CASTILE ની સામે UABJHOKE ની સેનાએ અને કરોડોની સૈન્ય નાશ પામી. એ યુદ્ધ માં કદાચ એક એક યુવાનો એ હઝારો ને મોતના ઘાત ઉતાર્યા હતા. આ ખબર બીજા રાજ્યો પહોંચતા તેઓ ગભરાય ગયા. તેઓ સમજી ગયા હતા કે "THIS IS THE RISE OF THE FLAMES,"(આ આગ ની લપતો ની શરૂવાત છે ) અને તેની અસર જરૂર ટુક સમયમાં બધા રાજ્યમાં પડશે.

TO BE CONTINUE......

For contact:- vivupatel3155@gmail.com