UABJHOKE - an europian warriors - 5 books and stories free download online pdf in Gujarati

UABJHOKE - an europian warriors - 5

UABJHOKE ~WONDARING OVER SUCCESS

Part -5
________________________________________________________________

INTRODUCTION:-

યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN..

_______________________________________________________________
હમણાં સુધી ~

【【 આપણે હમણાં સુધી જોયું કે uabjhoke જ્યારે sweden સામે યુદ્ધ કરે છે ત્યારે બધું હારી જાય છે અને પોતાનું બધું હારી જતા તેઓ જંગલ માં ભટકવા નું શરૂ કરે છે....પછી તેઓ સૈન્ય બનાવે છે પરંતુ આપણે આ ભાગ માં એ જોઈશું કે sweden સામે ની હાર પછી તેઓ કેવી રીતે સૈન્ય ઉભું કરે છે..】】
_______________________________________________________________
હાલ સમય માં~

ઇ.સ. 989 માં sweden સામેની હાર ક્યારેય પચાવી શકવાનું ના હતું, એમને ડર એ વાત નો હતો કે કદાચ આ હાર એમનો આત્મવિશ્વાસ ના તોડી દે...તેમની હિમ્મત ના ડગી જાય તેથી તેમણે વિચાર્યું કે લોકો થી દુર રહીશું તો કદાચ એકલતા માં સારી રીતે આગળ શું કરવું એ વિચારી શકીશું. તેથી તેઓ ગુપ્ત રીતે જંગલમાં ભટકવા લાગ્યા..

જેવી લોકો ને જાણ થઈ કે Uabjhoke હાર્યા છે ચો- તરફ વાતો થવા લાગી કે હવે કદાચ sweden સંપૂર્ણ રીતે બધા પર રાજ કરશે. પણ એવું ના થયું કારણકે sweden પાસે એટલું સૈન્ય બળ હતું કે એ આખો વિસ્તાર સાંભળી શકે પરંતુ એની પાસે એ આખી સૈન્ય ને સંચાલન માટે નો હુન્નર ના હતો એટલે એ કારણે વિસ્તાર પર પ્રભાવ sweden સૈન્ય નો રહ્યો પણ લોકો પર તો જેતે વિસ્તાર ના કોમી લોકો જ રાજ કરતા હતા. મતલબ sweden અંદર અંદર માં જ ટુકડા માં વહેચાઈ ગયું હતું. વિસ્તાર વિસ્તાર અનુસાર લોકો પોતાનું નવું જૂથ ઉભું કરીને રાજ કરવા લાગ્યા હતા. ટૂંકમાં કહી શકાય કે રાજા દ્વારા શાસન હતું અને અસહ્ય તત્વો દ્વારા લોકો પર ત્રાસ મળતો હતો. રાજા સુધી આ વાત ક્યારેક પોહચવાની ના હતી અને એમાં આવા લોકો પ્રજા ના શોષણ થી પોતાનું ગુંડારાજ ચાલવી રહ્યા હતા.

આવુ જ એક જૂથ હતું જે આજ રીતે પ્રજા પર પોતાનો ખોફ જમાવી ને વિસ્તાર માં અસહ્ય કૃતિઓ આચરતા હતા. પ્રજા એમના થી હેરાન થતા હતા પરંતુ એમની પાસે કોઈ એવો ઉપાય ના હતો કે એમના થી એ લોકો બચી શકે. તેઓ પ્રજા પાસે અનાજ અને અન્ય કારવેરો લેતા. અને જો કોઈ ના આપી શકે તો એની સાથે એની સાથે મોત ના આવી જાય ત્યાં સુધી શરીર સાથે અત્યાચારો કરવામાં આવતા. એવી જ રીતે એક વખત કારવેરો લઈ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ આપી ન શક્યા તો એ કોમી જૂથ તરત જ એની સાથે અત્યાચારો શરૂ કર્યા એના કરવેરા ના આપવાની સાથે જ તેને માથે ઘા આપી જમીન સાથે ઘસેડવા આવ્યો આ જોતા જ ત્યાં ઉભેલ એક યુવાન આગળ આવ્યો અને વૃદ્ધ ને બચાવવા માટે એ તું જૂથ ના વ્યક્તિ પર કુદી પડ્યો..અને ક્ષણ ભરમાં તો એને પતાવી દીધો. આ જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. અને જૂથ ના અન્ય વ્યક્તિઓ ગુસ્સે થયા અને બધાએ પોતાના હથિયારો બહાર કાઢ્યા અને એને ધમકવા લાગ્યા કે હવે એને કોઈ બચાવી ન શકે... બધાએ સાથે એના પર હુમલો કર્યો. તે છતાં એ વ્યક્તિ એ બધા ને મોત ને ઘાત ઉતારી દીધા. લોકો તો એને જોતા જ રહી ગયા.

વૃદ્ધએ વ્યક્તિ ને કહ્યું કે તમે અહીંયા થી ચાલ્યા જાવ તેઓના જૂથ ને ખબર પડશે તો એ બધા આવી તમને મારી નાખશે. ત્યારે વ્યક્તિ એ કહ્યું મને એનો ડર નથી મને એ કહો આવું ક્યાર થી ચાલ્યું આવે છે? Uabjhoke ના રાજ માં આવું થતું હતું કે હવે uabjhoke નથી રહ્યા એટલે લોકો આવું કરી રહ્યા છે.ત્યારે વૃદ્ધ એ જણાવ્યું કે આ તો વર્ષો થી ચાલી આવ્યું છે રાજા ગમે હોય એ પ્રજા સુધી ક્યારે પોહચી શક્યો નથી કારણકે એ બસ પોતાના કિલ્લા માંથી પ્રજા પર શાસન કરે છે એને પ્રજા નું સાચું દુઃખ અને પ્રજા ની મુસીબતો નો અંદાજો કિલ્લામાં બેસી ને કેવી રીતે આવે?? Uabjhoke ડર તો બધાને હતો તે છતાં પણ આ થતું જ હતું કારણકે આ વાત ક્યારેય રાજા ના કાન સુધી પોહચી જ નથી અને રાજા ને પણ આવી બાબતો ક્યારેય બતાવામાં આવતી જ નથી.


આટલી વાતો ચાલતી હતા ત્યાં તો જૂથ ના બધા વ્યક્તિ ત્યાં આવી પોહચ્યા જેમાના એક વ્યક્તિ એ વૃદ્ધ અને યુવાન ની ચાલુ વાતમાં અચાનક આવીને હથિયાર વડે યુવાન પર હુમલો કરી દીધો અને એના પ્રહાર થી એ યુવાન દૂર જઈને પડ્યો અને પ્રહાર કરેલા ભાગ માંથી લોહી નીકળવા લાગ્યું. એ જૂથના બધા લોકો હસવા લાગ્યા અને વિસ્તાર ના લોકો પર પોતાનો ખોફ જમાવવા લાગ્યા. લોકો ને ધમકવા લાગ્યા કે અમારી વિરુદ્ધ જવાથી કેવી હાલત થાય એ અમે આજે તમને જણાવીશું. આટલું વાક્ય પૂરું થાય ત્યાં તો નીચે પડેલ યુવાન આંખ ના પલકારામાં ઉભો થઈને એના પર પ્રહાર કરેલા વ્યક્તિને પતાવી દીધો.
જૂથ ના લોકો ને ખબર ના થઇ અને એ મોત ને પામ્યો...
આ જોઈ વિસ્તાર ના લોકો ના મુખ માં થી એક જ નારો નીકળવા લાગ્યો...
Uabjhoke ...uabjhoke... uabjhoke...

જૂથ ના વ્યક્તિઓ ડરી ગયા એ લોકો જાન બચાવવા ભાગવા લાગ્યા પણ ત્યાંના લોકો એમને ચારેય તરફ થી ઘેરી લીધા. બધા એમને મારી નાખવાની નારો લગાડવા લાગ્યા. ત્યાં આઠેય uabhoke એમની સામે આવ્યા. અને બોલ્યા શુ બોલી રહ્યા હતા કે અમારી વિરુદ્ધ જવાથી શુ થાય એ આજે અમે બતાવીશું, એમ...હવે અમે બતાવીશું કે uabjhoke ના રાજ માં લોકોને હેરાન કરવાથી શુ અંજામ આવે છે , અમને કસમ છે અહીં તમારા લીધે વહેલા એક એક આંસુ ની મોત માગશો પણ એ પણ અમે નસીબ ના થવા દઈએ, તમે વિચારશો કે અમે આવું કર્યું તો કર્યું શા માટે અને uabjhoke ના રાજ માં શા માટે કર્યું..બીજા જન્મ લેતા પર તમારી રુહ કાપી ઉઠશે...આટલું કેહતા તો એ બધા ને uabjhoke એ એમના શરીર પર એટલા ઘા આપ્યા કે જેથી તેઓ મૃત્યુ પણ ન પામે અને સહન પણ ના કરી શકે અને એમને એમના હાલ પર છોડી દેવા લોકો ને જણાવ્યું. થોડીવાર માં ચારેય બાજુ વાત ફેલાવા લાગી કે uabjhoke પધાર્યા છે..

વિસ્તાર ના લોકો એ પૂછ્યું કે હવે રાજ્ય તો છે નઈ સૈન્ય પણ નથી તો તમે પાછા
જીતશો કઈ રીતે?? ત્યારે uabjhoke એ જણાવ્યું કે મને માત્ર થોડા એવા યુવાનો ની જરૂર છે કે જે અમારી સાથે england આવી શકે. કારણકે અમને ખબર છે આમારી જીત નો રસ્તો england થઈને જઈ રહ્યોં છે. એ પહેલાં અમે જે આ બધા અસહ્ય જૂથ છે એમને ખતમ કરવા પડશે ત્યાં સુધી તમે અમારા માટે એવા યુવાનો ભેગા કરો જે અમારી સાથે england આવશે. અને અમે ખાતરી આપીએ છીએ કે હવે જો અમે રાજ માં આવીએ તો આવા કોમી હુલ્લરો થી પ્રજા ક્યારેય હેરાન ના થાય. આટલું કહી ubjhoke બીજા વિસ્તારો માં જવા માટે નીકળ્યા.

Uabjhoke એ વધારે ખાસ મેહનત ના કરવી પડી કારણે ચો તરફ uabjhoke આવ્યા છે એ વાત ફેલાઈ જતા અમુક જૂથ તો ત્યાં પોતાના કામો બંધ કરી દીધા અને બાકીના ને uabjhoke એ બંધ કર્યા. પરંતુ આ વાત sweden ના રાજા સુધી પોહચી કે uabjhoke અહીંયા જોવા મળ્યા છે અને તેઓ યુદ્ધ માટે સૈન્ય ઉભું કરી રહ્યા છે. એટલે uabjhoke મળવા માટે sweden એ તેની 7 તબક્કા માં વહેચાયેલી સૈન્ય માંથી એક તબક્કા ની ટુકડી જ્યાં તેઓ પેહલી વાર દેખાયા હતા એ વિસ્તાર માં મોકલી... પરંતુ uabjhoke તેમને માં મળ્યા તેઓએ આજુ બાજુ ના બધા વિસ્તાર માં પણ ખોજ કરી લીધી પરંતુ uabjhoke ક્યાં મળ્યા જ નહીં...

અંતે થોડા દિવસો ની ખોજ બાદ sweden ના એક સૂત્રધાર ને એ વાત ની જાણ થઈ કે તેઓ પાસે થોડું એવું સૈન્ય છે આવતા સમય માં તેઓ sweden પર એ નાની સૈન્ય સાથે હુમલો કરવા જઈ રહ્યા હતા. આ જોઈ sweden યુદ્ધ ની તૈયારી માં લાગી પડ્યું પરંતુ ઇ.સ. 989 ના હાર બાદ ના તો કોઈ યુદ્ધ થયું અને ત્યાર બાદ ન તો કોઈએ એમનું નામ સાંભર્યું હતું ના તો એમને કોઈ એ જોયા હતા. બધા જાણતા હતા કે uabjhoke હાર માની બેસી ના રહેશે એ યુદ્ધ કરશે આ વિચારી Sweden એની સૈન્ય મજબૂત બનાવતું ગયું પણ ક્યારેય uabjhoke દ્વારા યુદ્ધ થયું જ નહીં.....


To be continued....


For contact : vivupatel3155@gmail.com