The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
...#.... ચાલો તો કાંટાળા માર્ગે જ ,પણ ચીલો એવો ચિતરવો કે એ માર્ગે બીજો સરળતાથી ચાલ્યો જાય ...#....
...#... પોષી પૂનમ...#... સર્વે યોગમાયાઓને અર્પણ.... "પોષી પોષી પૂનમડી, પોષા બેનના વરત, ભાઈની બેની રમે કે જમે ?" આપણા હિન્દુ ધર્મમાં દરેક માસની પૂર્ણિમા અને અમાવસ્યાઓનું અદકેરું મહત્વ છે. એવી જ રીતે શિયાળાની ઋતુમાં આવતા પોષ મહિનાની પૂર્ણિમા એટલે કે,"પોષી પૂનમ". પોષી પૂનમની મહત્તા વિશે વાત કરવા બેસું તો શબ્દો ખૂટી પડે,પણ એનું સંપૂર્ણ વર્ણન ન કરી શકું. તેમ છતાંય આ મહાન દિવસના વર્ણન માટે એક નાનકડો પ્રયાસ કરું છું. અને આપણી સનાતન સંસ્કૃતિ વિશે થોડું સવિસ્તાર સમજાવવાનો પ્રયાસ કરું છું. * અંબાજી માતાજીનું પ્રાકટ્ય. પોષી પૂનમના દિવસે માઁ જગદંબાની આરાધના અને ઉપવાસ કરવાનું મહત્વ છે. પૂનમના દિવસે મંદિરમાં માઁ ના દર્શનનો પણ મહિમા રહેલો છે. આ અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે ગુજરાતમાં સ્થિત માઁ અંબાના ધામ અંબાજીએ પણ ભક્તોનો જમાવડો જામે છે. કહેવાય છે કે, પોષી પૂનમના દિવસે જ આદિશક્તિ માતા સતીના હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો.અને સ્વયં આદિશિવે શક્તિપીઠની સ્થાપના કરી પોતે ભૈરવ રુપે એ શક્તિપીંડના રક્ષક બન્યા. આ દિવસે પૂનમ હોવાથી તેને માઁ જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે. આનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં પણ છે. * સૂર્યદેવના પ્રિય માસની પૂર્ણિમા. વૈદિક જ્યોતિષ શાસ્ત્રો અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે, આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ કરે છે. એટલા માટે જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને, સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્દભૂત ધાર્મિક સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તથા જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. * બહેનોનો પ્રિય દિવસ. પોષી પૂનમનું આપણી ગુર્જર સંસ્કૃતિમાં આગવું મહત્વ છે. આ દિવસે બહેન પોતાના વહાલા વિરા માટે ઉપવાસ રાખે છે.ભાઇ માટે ઇષ્ટ પાસે સુખ,શાંતિ,તંદુરસ્તી અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. સાંજે કાંણું પાડેલા બાજરીના રોટલાની ચાનકીમાંથી ચંદ્રમાનું દર્શન કરે છે. અગાસી પર ઉભેલી બેની ચંદ્રદર્શન કરતાં કરતાં પાસે ઉભેલા પોતાના વિર ને કહે છે કે, "પોષી પોષી પૂનમડી, પોષા બેનના વરત, ભાઈની બેની રમે કે જમે ?" ભાઇ કહે છે : "જમે." વળી બેની કહે છે કે, "પોષી પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન; ભાઈની બેની જમે કે રમે ?" વળી ભાઇ કહે છે : "જમે." વળી બેની કહે છે કે, " ચાંદા તારી ચાનકી, અગાશી એ રાંધી ખીચડી. ભાઈની બેની રમે કે જમે ? " આ વખતે ભાઇ કહે છે કે, "પોષી પોષી પૂનમડી, અગાશીએ રાંધી ખીર વ્હાલા, જમે માઁ ની દીકરીને પીરશે બેનીનો વિર વ્હાલા." આમ ત્રણ વખત બોલ્યા બાદ બેની ફરાળ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે. આ છે આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ. જેના થકી આપણે ચિરકાલ સુધી ગૌરવાંવિત રહીશું. જય ભોળાનાથ... હર હર મહાદેવ... હર....
...#...યોગમાયાના સોળ શણગાર...#... "સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર, માઁએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે..." ઉપરોક્ત પંક્તિ વાંચતા જ આપણો ગુર્જર જીવડો નવરાત્રીના ચોકમાં ઉતરીને તાલબદ્ધ તાળીઓ સાથે ગરબે ઘૂમવા લાગી જાય...ખરું ને ??? પણ આ અલગારી મનડું અહિંયા પણ અલગ પડ્યું બોલો... કહે કે,"અરે કમલ, આ માઁએ સોળ શણગાર કેમ સજ્યા?" બે-ચારથી કામ ન ચાલે? આ સોળ જ કેમ? મેં કહ્યું,"હે મૂઢ મનવા,આ તો આદિશક્તિ છે,વગર સાજ-શણગારે પણ એમના સૌંદર્યની તોલે કોઇ ન આવે.પણ આ તો જ્યારે એમને આદિપુરુષ(મહાદેવ-આદિશિવ)ની સન્મુખ થવાનું છે ત્યારે આદિશક્તિને પોતાનું એ સૌંદર્ય પણ ઓછું લાગે છે,અને પછી એને હજુ વધારે નિખારવા માટે યોગમાયા એક એક કરતા સણગાર સજે છે. જેમ જેમ સણગાર સજતા જાય છે એમ એમ હજુ એક હજુ એક કરતાં કરતાં પૂરા સોળ શણગાર સજે છે ત્યારે એમને સંતુષ્ટી થાય છે." મનડું : ઓહ્ એવું!!!? હા... મનડું : અદ્દભુત....તો હવે સાથે સાથે એ સોળ શણગાર વિશે વિસ્તારથી જણાવીશ? અવશ્ય.... તો સાંભળ મનવા, ઋગવેદમાં યોગમાયાના આ સોળે શણગાર વિશે સુંદર ઉલ્લેખ છે. અને તને આના આજના વૈજ્ઞાનિક યુગમાં વૈજ્ઞાનિક તથ્ય પણ જણાવું અને સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિની દિવ્યતાના દર્શન પણ કરાવું. ૧) પાનેતર:- કન્યાના શૃંગારમાં સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર. એમાં લાલ, પીળો કે ગુલાબી રંગ પસંદ થતો હોય છે. લાલ રંગ શુભ, મંગળ અને સૌભગ્યનું પ્રતીક છે. તેથી શુભ કાર્યોમાં લાલ રંગનું સિંદૂર, કુમકુમ અને પાનેતર અવશ્ય હોય છે. *લાલ રંગ ઉત્સાહનું પણ પ્રતીક છે. ૨) સિંદૂર :- લગ્ન પછી પત્ની પ્રથમવાર પતિના હાથે માથામાં સિંદૂર ભરવામાં આવે છે. નારી એ સિંદૂરને ક્યારેય ભૂંસાવા દેતી નથી. પતિના દીર્ધાયુ માટે સ્ત્રીઓ માથામાં સિંદૂર લગાવે છે. *સિંદૂર લાલ લેડ ઑક્સાઇડમાંથી, પારો અને સીસુના ભુક્કામાંથી તૈયાર થાય છે. એને કારણે મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું મનાય છે. એ સ્ત્રીઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે અને શાંત રાખે છે. ૩) ટિકો :- સુવર્ણ નિર્મિત આ ઘરેણું સ્ત્રીના મસ્તકને શોભાવે છે. નવવધૂએ માથાની બરાબર વચ્ચે એને પહેરવો જોઈએ, જેથી લગ્નજીવન બાદ તેનું જીવન હંમેશાં સીધા સરળ રસ્તે ચાલે અને કોઈ પક્ષપાત વિના સંતુલિત રીતે નિર્ણયો કરી શકે. * આ આભૂષણ નારીના શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને તેથી શાંતચિત્તે સ્ત્રી નિર્ણયો લઈ શકે. ૪) ગજરો :- ચમેલીના ફૂલો દ્વારા તૈયાર થતો ફૂલગજરો એ એક કુદરતી શૃંગાર છે. આ પુષ્પની ફોરમ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. વાળની સુંદરતા વધારતો આ ફૂલગજરો નારીના ધૈર્યનું પ્રતિક છે. * ચમેલીની ખુશ્બૂ તણાવને દૂર કરે છે. ૫) ચાંદલો :- મસ્તિષ્ક પર બે ભ્રમરની વચ્ચે કરવામાં આવતી કુમકુમની બિંદી નારીના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. અત્યારની નારી વિવિધ પ્રકારના તૈયાર સ્ટિકર લગાવે છે. * ભ્રમરકેન્દ્રના આ નર્વ-પોઇન્ટ પર ચાંદલો કરવાથી એકાગ્રતા વધે છે. ૬) કાજલ :- કાજલથી આંખોની સુંદરતા ઓર નિખરે છે. કાજલ આંજેલી આંખો ધારદાર લાગે છે. કહે છે કે આનાથી સ્ત્રીનું બુરીનજરથી રક્ષણ થાય છે. * કાજલથી આંખોમાં ઠંડક મળે છે. ૭) કર્ણફૂલ (બૂટી) :- પરણિત સ્ત્રી, સાસરિયાની કે અન્ય કોઇની નિંદા સાંભળવાથી દૂર રહે છે એના પ્રતિક રુપે કર્ણફૂલ પહેરે છે. આ કાનની સુંદરતામાં વધારો કરે છે. * કાનની બૂટ પર ઘણા એક્યુપ્રેશન પૉઇન્ટ છે. જેના પર આભૂષણનું દબાણ આવવાથી કિડની અને બ્લેડરની કામગીરીમાં રાહત મળે છે. ૮) નથણી :- નવવધૂને નથણી પહેરાવામાં આવે છે. કહેવાયછે કે સૌભાગ્યવતી સ્ત્રી નથણી પહેરે તો તેનાથી પતિના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. * નથણી પહેરવાને સીધો સંબંધ સ્ત્રીના ગર્ભાશય સાથે છે. નાકની કેટલીક નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. ૯) મંગળસૂત્ર :- સૌભાગ્યવતી સ્ત્રી હંમેશા મંગળસૂત્ર ધારણ કરીને રાખે છે. પતિ અને પત્નીને જીવનભર મંગળમય એકસૂત્રમાં બાંધી રાખનારા આભૂષણ તરીકેનું સ્થાન એનું છે. એવી માન્યતા છે કે, મંગળસૂત્રથી સકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. * મંગળસૂત્ર નારીના હૃદય અને મનને શાંત રાખે છે. મંગળસૂત્ર સોનાનું હોય છે અને સોનું શરીરમાં બળ અને તેજ વધારનારી ધાતુ મનાય છે. ૧૦)બાજુબંધ :- સોના-ચાંદી જેવી ધાતુઓથી નિર્મિત આ આભૂષણ નારીના બાવડાની ઉપરની તરફ ધારણ કરવામાં આવે છે. આનાથી ધનની સુરક્ષા થાય છે.સર્પાકાર આ આભૂષણ વિવાહિત સ્ત્રી હંમેશા ધારણ કરીને રાખતી હતી.(હવે જવલ્લે જ જોવા મળે છે) * બાવડા પર આ આભૂષણના દબાવથી રક્ત પરિભ્રમણ સારું રહે છે. ૧૧) ચૂડી (બંગડી) :- ચૂડી પહેરતાં જ નારીના હાથની સુંદરતા અનેકગણી વધી જાય છે. ચૂડી એ દંપતીના ભાગ્ય અને સંપન્નતાનું પ્રતિક છે. ૧૨) વીંટી :- સુવર્ણ,ચાંદી નિર્મિત આ આભૂષણ આંગળીઓની શોભા વધારે છે. સગાઇ વખતે યુગલ એકબીજાની અનામિકા પર વીંટી પહેરાવે છે.વિંટી એકબીજાને પ્રેમમાં વિંટળાયેલા રાખે છે. * અનામિકા આંગળીની નસ સીધી હ્રદય સાથે જોડાયેલી હોય છે. આ નસ પર દબાણ રહેતા હ્રદય સ્વસ્થ રહે છે. ૧૩) મહેંદી :- પ્રસંગોપાત સ્ત્રીઓ હાથ-પગમાં મહેંદી લગાવતી હોય છે. કહેવાય છે કે હિનાનો રંગ જેટલો ગાઢ આવે, પ્રિયતમ તરફથી એટલો જ ગાઢ પ્રેમ મળે છે. *મહેંદી તણાવને દૂર રાખે છે,ઠંડક બક્ષે છે. એની સુવાસથી મન પ્રફુલ્લિત રહે છે. ૧૪) કમરબંધ :- વિભિન્ન ધાતુઓથી નિર્મિત આ આભૂષણ નાભી પાસે કમરના ભાગમાં પહેરવામાં આવે છે. કમર ની સાથે સાથે શરીરની આકર્ષકતા વધારે છે. * ચાંદીનો કમરબંધ ધારણ કરવાથી માસિક અને ગર્ભાવસ્થાની પિડામાં રાહત રહે છે. ૧૫) પાયલ :- પગની સુંદરતાને આસમાન પર પહોંચાડનાર આ આભૂષણ એની સૂમધુર ધ્વની દ્વારા સમગ્ર વાતાવરણ આનંદથી ભરી દે છે. * ઝાંઝરની મધુર ધ્વની માનસિક સંતુલન જાળવી રાખે છે. ૧૬) વીછિયા :- ચાંદી-તાંબા જેવી વિભિન્ન ધાતુઓ દ્વારા નિર્મિત આ આભૂષણ પગની આંગળીને અધિક સુંદર બનાવે છે. વિવાહિત સ્ત્રી પગની આંગળી પર વીછિયા ધારણ કરે છે. આનાથી ઘરમાં સંપન્નતા આવે છે. * વીછિયા ધારણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે,નસ સંબંધી તકલીફો દૂર રહે છે. રક્તચાપ (બ્લડ પ્રેશર) પણ નિયંત્રણમાં રહે છે. સમજાયું મનવા? આ છે આપણી સનાતન સંસ્કૃતિની દિવ્યતા... પણ જવા દે વ્હાલા, તને નહિં સમજાય આ બધું. કારણકે તું અને તારી જેમ તારી આખી સો કોલ્ડ મોર્ડન પેઢી આપણી સંસ્કૃતિથી વિમુખ થઇ ગયા છો. પણ હા, જો કાલ ઉઠીને કોઇ ફિરંગી ભારત આવી, સંસ્કૃત ભાષા શીખી આનો મર્મ જાણશે, અને પાછો એના દેશમાં જઇ એ મર્મને પોતાના નામે ચઢાવી આધુનિક રિસર્ચના નામની તક્તિ લગાવી, તારી સામે પિરસસે ત્યારે તું નવી બોતલમાં આ જૂની મદિરા હોંશે હોંશે પી જઇશ. અપિતુ મારો બનાવેલ ત્રિદોષ નાશક "કાઢો" તને નહીં ફાવે... જય ભોળાનાથ... હર... હર... મહાદેવ હર....
आँखो- आँखो में उतरना कमाल होता है, 'कमल' साँसों -साँसों में बिखरना कमाल होता है। कोइ बिखरना चाहे तो शोख से बिखरे इन साँसो में, कतरा -कतरा समेट लेंगे हम दिल-ए-आशियाँ में।
માતૃભારતી પરિવારને લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ 🙏🙏🙏
માતૃભારતી પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ... મહાદેવ હંમેશા મોજમાં રાખે 🙏🙏🙏
...#...સનાતન જ્ઞાન અને આજનું વિજ્ઞાન...#... સૌ પરિજનોને જય ભોળાનાથ ... કેમ છો બધાં? સુખમાં તો છો ને??? સૌ પ્રથમ સૌને નવા વર્ષના રામ-રામ... આવનાર વર્ષ સુખ-સમૃદ્ધિ અને શાંતીમય હો એવી મહાદેવને પ્રાર્થના..🙏🙏🙏 ચાલો આજે આપું નવા વર્ષનું પુરાતન જ્ઞાન... આજે વાત કરીયે આપણી સનાતન સંસ્કૃતિમાં ધર્મ,સુકન ના નામે આપણા ઋષિ મુનિઓ દ્વારા આપણા જીવનમાં પરંપરાઓ રુપે વણી દેવામાં આવેલ એક ગુણકારી અને આરોગ્યપ્રદ પરંપરા વિશે... એટલે કે,"બેસતા વર્ષના પહેલા દિવસે સુકન ના રુપે આરોગવામાં આવતા "લીલી ચોળી"ની ફળીના શાક વિશે.. ચોળી ને સૌ ચોરા-ચવલી-લોબિયા વગેરે નામોથી ઓળખે છે. નવા વર્ષના પહેલા દિવસે લીલીચોળીનું શાક ખાવાની પરંપરા છે. કહેવાય છે કે,પ્રથમ મુહૂર્તમાં લીલી ચોળીનું શાક ખાવામાં આવે એ ખૂબ જ સુકનવંતુ ગણાય છે. આખું વરસ લીલી ચોળીની જેમ હરિયાળું બની જાય છે. તો આ થઇ પરંપરા.... # હવે જાણીએ આ પરંપરા પાછડનો આશય... અને શાક બનાવવાની રીત વિશે... દિવાળી એટલે આર્યાવર્ત(ભારત) ખંડનો ચોમાસું સત્રનો છેલ્લો દિવસ. ત્યાર બાદ શરુ થાય છે શિયાળું સત્રના ચાર માસ. હવે મોસમ બદલાય એટલે માનવ શરીરને એકદમથી આ બદલાવ માફક આવતો નથી. પરિણામ આ મનુષ્ય દેહને સ્વરુપ શરદી-ઉધરસ અને જીર્ણ જ્વર(ઝીણો તાવ) રુપી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તદુપરાંત શિતકાળ દરમિયાન ખૂબ વધારે ભૂખ લાગે છે. હવે માનવ શરીરને આ બધી સમસ્યાઓનો ભોગ ના બનવું પડે,એટલા માટે પૂર્વતૈયારીના પગલાં રુપે આપણા ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદની મદદથી સર્વોત્તમ ઉપાય શોધવામાં આવ્યો એ છે,"લીલી ચોળીનું પાન સહિત ફળીના બાફલાનું શાક". # માટીના દોણામાં બે ગ્લાસ પાણી,સમારેલી લીલીચોળીના પાન તથા ફળી, અડધી ચમચી સિંધવ લૂણ (લાલ મીંઠુ),૫-૭ મીઠા લીમડાના પાન (કળીપત્તું), લીલું મરચું નાખીને સારી રીતે બાફી લેવું. અને આનું સેવન કરવું. # આ સમયગાળામાં લીલીચોળીના છોડ ભરપૂર માત્રામાં મળી રહે છે.અને આ છોડના પાન તથા ફળીમાં એટલા બધા પોષક તત્વ રહેલા છે કે,આના બાફલાનું શાક ખાનારને આવનાર શિતકાળ લક્ષી કોઇ જાતની બિમારીની અસર થતી નથી. કારણ કે એનું શરીર પહેંલાથી જ એનો સામનો કરવા માટે આંતરીક રીતે સક્ષમ બની ગયું હોય છે. આજની ભાષામાં કહું તો,"લાઇક એન્ટિવાયરસ" જેવું. *આમાં રહેલું "ડાયટરી ફાયબર"શિયાળુ ભૂખને નિયંત્રણમાં રાખે છે. પાચનતંત્રને મજબૂત બનાવે છે. *આમાં રહેલું "વિટામિન બી ૧"(થાયમીન) માનવ હ્રદયનું વિવિધ તકલીફોથી રક્ષણ કરે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને 💝હૈયાને સ્વસ્થ રાખે છે. *આમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી બિનજરૂરી કચરો(ટોક્ષિન)દૂર કરે છે. *આમાં રહેલ "ટ્રિપ્ટોફેન"નામનું તત્વ શરીરને પૂરતી નિંદ્રા અને આરામ આપવામાં મદદ કરે છે. *આમાં રહેલ વિટામિન એ,સી અને પ્રોટિનની ભરપૂર માત્રા ચામડીને ચૂસ્ત બનાવે છે અને સૂર્યના અલ્ટ્રાવાયલેટ કિરણો સામે રક્ષણ આપે છે તથા વધતી ઉંમરની અસર ચહેરા પર વર્તાતી નથી. * સૌથી વિષેશ ચોળીનું "ગ્લાયસિમિક ઇન્ડેક્ષ"(G.I.) ફક્ત ૩૮ છે.જે રક્તમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ધીમે વધારો કરે છે. જે મધુપ્રમેહ(ડાયાબિટીસ)ને સંપૂર્ણ નિયંત્રણમાં રાખે છે. આમ ચોળીના બાફલાનું શાક ખાનારનું સ્વાસ્થ સંપૂર્ણ રીતે ઉત્તમ રહે છે. આપણા ઋષિ મુનિઓની દિર્ઘદ્રષ્ટિ તો જુવો, કે,"રોગ આવે ત્યારબાદ એનો ઉપચાર કરો ત્યાં સુધીમાં તો શરીર ઘણું કમજોર બની જાય,એના કરતાં તો સૌથી ઉત્તમ કે રોગ શરીરમાં આવે જ નહીં એવી તૈયારી રાખવી"... આ છે આપણું આયુર્વેદ... જે કહે છે કે,"પહેલું સુખ તે જાતે નર્યા", પણ આ ઋષિ મુનિઓને આમ ગોળ ગોળ ફેરવવાની શું જરુર હતી? સીધું કહી દેતા,કે આમ કરો તો આ તકલીફ ન થાય. તો એની પાછડનુંય એક સચોટ કારણ છે," કે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે છે સીધું પણ ચાલે આડું બાકી સૃષ્ટીના તમામ પ્રાણી છે આડા પણ ચાલે સીધા છે. કુદરતના નિયમોને આધિન થઇ એના નિયમાનુસાર જ. સો કબૂતરોના ઝૂંડમાં ક્યારેય જોયું છે કે એક કબૂતર બર્ગર જેવું અને એક કબૂતર ફિન્ગરચિપ્સ જેવું? ના ને? બધા એક જ સરખા. તો એ તો કોઇ જીમમાં નથી જતાં, કે નથી જમીને ક્યાંય નાઇટ વોક કરવા જતા. તેમ છતાંય દરેકનો બાંધો(શરીર) એક સરખો...? હા, કારણ કે એ કુદરતના નિયમોનું પાલન કરે છે,પ્રકૃતિ વિરુદ્ધ નથી જતા. - સૂર્યોદય પહેંલા બ્રમ્હમુહૂર્તમાં જાગી જવું. - સૂર્યાસ્ત થતાં જ માળામાં જઇ જપી જવું - બેસીને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું. - શરીરને અનુકૂળ જ આહાર લેવો. - આનંદમાં કે શોકમાં કિલ્લોલ કરતા રહેવું. - બચ્ચું ઉડતું થાય એટલે એને એની રાહે મૂકી દેવું.(કોઇપણ જાતનો મોહ ન રાખવો) - પ્રતિકૂળ સ્થાનનો ત્યાગ કરવો.(કુસંગ) - એક આંખ ખુલ્લી રાખી સૂવું.(સજાગ નિંદ્રાલેવી) બસ આ બધું આચરણ કરવું આવનાર પેઢી માટે કપરું થઇ જવાનું છે, એ વાત આપણા ઋષિ મુનિઓ બખૂબી જાણતા હતા. તેમ છતાંય લોકો આનું પાલન કરે, એટલે આવા બધા કાર્યોને ધર્મ અને પરંપરા સાથે વણી સમાજ સમક્ષ મૂકી દીધું. જેથી અમુક શુકન સમજીને અપશુકનની બીકે ,અમુક ધર્મ સમજીને ઇશ્વરની બીકે તો અમુક ઉત્તમ સ્વાસ્થ માટે આ બધાનું અનુસરણ કરે,ટૂંકમાં જેમ કરે એમ બસ આનું પાલન કરે અને નિરોગી રહે. આ મૂળ આશય હતો. તો બસ આપ સૌ પણ આવનાર વર્ષમાં સ્વસ્થ રહો,નિરોગી રહો એવી શુભકામનાઓ સાથે સૌને નવા વર્ષના જય ભોળાનાથ... હર હર મહાદેવ... હર...🙏🙏🙏
માતૃભારતી પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ -જય ભોળાનાથ-
માતૃભારતી પરિવારને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ -જય ભોળાનાથ-
માતૃભારતી પરિવારને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ
...#... રહસ્યમયી શહેર...#... જય ભોળાનાથ પરિજનોને... કેમ છો બધાં? સુખમાં તો છો ને? અને હાઁ,સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.... ખરેખર છિયે કે નહીં એ ન પૂછવું... હા હા હા... શિર્ષક વાંચીને સમજી જ ગયા હશો કે આજે કોઇ રોમાંચક સફરની સહેર કરવાની છે... તો ચાલો ગોઠવાઇ જાવ છુક છુક ગાડીમાં, અને સેર કરીયે દક્ષિણ ભારતમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગથી ૨૫ કિલોમીટર દૂર સ્થિત ,દેશનું સૌથી છેલ્લું અને શ્રીલંકાની સરહદના દર્શન કરાવતું,રહસ્યોથી ભરપૂર ઐતિહાસિક શહેર એવું "ધનુષકોડી" શહેરની. ભારતનું આ એક એવું શહેર છે, જ્યાંથી તમને પાડોશી દેશ શ્રીલંકા દેખાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ એકમાત્ર લેન્ડ બોર્ડર છે. "ધનુષકોડી" નામમાં જ રહસ્ય છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તે સ્થળ છે જ્યાં ભગવાન રામ અને તેમની સેનાએ રામ સેતુ બનાવ્યો હતો. અને તેમના પત્ની સીતાજીને બચાવવા માટે આ સેતુ પરથી પસાર થયા હતા. આ સેતુ રામેશ્વરમ દ્વિપ(તમિલનાડુ) અને મન્નાર દ્વિપ(શ્રીલંકા)ને જોડે છે. સીતાજીને બચાવ્યા બાદ વિભિષણના કહેવા પર ભગવાન રામે પોતાના ધનુષથી આ બ્રિજ તોડી કાઢ્યો હતો. ત્યારથી આ સ્થળનું નામ પડ્યું- "ધનુષકોડી". અહીંયા સૂર્યાસ્ત બાદ જવાની કે રહેવાની મનાઈ છે. કહેવાય છે કે,લંકાની તમામ આસુરી શક્તિઓ આજે અહીંયા પણ રાત્રે ચિચિયારીઓ અને આક્રંદ કરીને આ સ્થાનને ભયાનક બનાવે છે. ત્યારબાદ સન-૧૯૬૪ માં આવેલ ચક્રવાત દરમિયાન મૃત્યુ પામેલ લોકોની રૂહોનું રુદન,આજે પણ આ શહેરને ખૂબ બિહામણું અને ભેંકાર બનાવે છે. આ શહેર એક સમયે હર્યુંભર્યું હતું. "ધનુષકોડી" પણ એક પ્રખ્યાત પર્યટન સ્થળમાં શામેલ હતું, અહીં અનેક તીર્થસ્થાનો હતા. અહીં હોટલ્સ, કપડાની દુકાનો, ધર્મશાળાઓ, બજાર, સ્કૂલો, ચર્ચ, મંદિરો, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ વગેરે હતા. અહીં ફેરી સર્વિસ પણ હતી. પરંતુ ૧૯૬૪માં આવેલા ચક્રવાતમાં આ શહેરમાં વિનાશ સર્જાઈ ગયો. આ વાવાઝોડામાં સરકારી આંકડા મુજબ લગભગ ૧૮૦૦ લોકોનાં મોત થયા હતા, અને શહેરના લગભગ તમામ ઘરો ધરાશયી થઈ ગયા હતા. ‘ઘોસ્ટ ટાઉન’ 👻🎃😈👹 તરીકે ઓળખાતા આ શહેરમાં વાવાઝોડાના લગભગ ૫૮ વર્ષ પછી ધીરે ધીરે લોકોની અવર જવર શરુ થઈ છે. ઓફબીટ ડેસ્ટિનેશન્સ પર ફરવા જવા માંગતા યાત્રીઓ અહીં આવતા હોય છે. અહીંનો સ્વચ્છ દરિયો, સફેદ માટી અને દરિયાઈ જીવો જોવાનો અનુભવ યાત્રીઓની સફરને યાદગાર બનાવવા માટે પૂરતો છે. એકવાર રામેશ્વરમ પહોંચીને તમે શેરિંગ રિક્ષા,પોતાનું વાહન કે બસ લઈને ધનુષકોડી જઈ શકો છો. પરંતુ એક પોઈન્ટ પછી તમારે ટેમ્પોમાં આગળ જવું પડશે. આ રસ્તા પરથી પસાર થવની પણ તમને એક અલગ મજા પડી જશે. બન્ને બાજુ દરિયો હોય તેવા રસ્તા પરથી પસાર થવાનો અનુભવ તમને ચોક્કસપણે યાદ રહી જશે. અહીં નષ્ટ થઈ ગયેલા મંદિર, રેલવે સ્ટેશન, ચર્ચ અને મકાનોના કાટમાળ જોવા મળશે. અહીં બીચ પર તમે આરામથી બેસી શકો છો અને શાંતિનો અનુભવ કરી શકશો. અહીં તમને નાસ્તા અને ચા-પાણીની નાની- નાની દુકાનો મળી જશે. બાકી ગુજરાતીઓનું ઝોલા ભરેલું ચવાણું તો અખૂટ હોય જ.😜 અહીંયા બે મહાન સમુદ્રનું સંગમ થાય છે. જેનું દર્શન કરવું એ પોતાનામાં જ મોટી વાત છે. એક તરફ અફાટ હિન્દ્મહાસાગર અને બીજી તરફ બંગાળ ની ખાડી છે. હિન્દમહાસાગર તોફાની છે,જ્યારે બંગાળ ની ખાડી એકદમ શાંત. જાણે કે દરિયો મહાયોગી એવા મહાદેવ રામેશ્વરના સાનિધ્યમાં રહીને પોતાના ઘૂઘવતા સ્વભાવ થી વિપરીત, સાવ શાંત અને સ્થિર થઈ ગયો છે. આ ઉપરાંત પણ અહીંયા ઘણા બધા જોવાલાયક સ્થળો છે. જેમકે, ૧) પંચમુખી હનુમાન. ૨) અગ્નીતિર્થ. ૩) એ.પી. જે. અબ્દુલ કલામનું ઘર. ૪) સંગુમલ બીચ. ૫) આર્યમાન બીચ. ૬) રામસેતુ (એડમ્સ બ્રીજ) આથી સૌ જીવનમાં એક વાર આ પરમધામના દર્શન અવશ્ય કરજો . સૌને જય ભોળાનાથ... હર હર મહાદેવ.......હર...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser