The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
21
11.4k
25.1k
Hey, I am on Matrubharti! my Education is Bsc with physics.certified textile diginer.my hobby is reading writing and painting
નીકળે આખી રાત સપના સળગ્યા હશે, નહીં તો સવારમાં આટલો ઉજાસ ના નીકળે. પીડાની લાગણીનો કિલોગ્રામમાં મપાતી નથી, નહીં તો ઘાયલ મનના પુરાવા ભારોભાર ના નીકળે. સ્મિતસભર ચહેરાની વ્યથા ક્યારેય ન સમજાય, હંમેશા આંસુ વરાળ બની હાસ્ય સાથે નીકળે. નિષ્ફળ વ્યક્તિઓ પાસે કારણો નીકળે, સફળ વ્યક્તિઓ પાસે તારણો નીકળે. જવને ફોલીએ તો તેમાંથી ઘઉં નીકળે, ભીડને તરાશીએ તો પારકા માંથી પોતાના નીકળે. ચિત્ર માં જેવા રંગો પુરી એ તેવું નિખરે, બહુ રૂપિયા થી રંગાયેલો માણસ બહુરૂપી નીકળે. જીંદગીના રસ્તા સીધા અને સરળ હોય તો, મનના વણાંકો ખતરનાક નીકળે. અર્થી બીજાના ખભા ના સહારે નીકળે, પણ જિંદગી તો પોતાના ખભા ના સહારે જ નીકળે. ઉર્વશી એચ ત્રિવેદી
હોય છે મનના કૂવામાં શબ્દોની સભા ભરાય, ત્યારે કવિતાનું સર્જન થતું હોય છે. સપના પણ કેટલા છેતરામણા હોય છે, બંધ આંખે બધા સોહામણા હોય છે. પડછાયા પાસે પાઠ ભણવાનો હોય છે, ક્યારેક નાના તો ક્યારેક મોટા થવાનું હોય છે. વર્ષો બાદ મળીએ તો જુનો ચહેરો બદલાયેલો હોય છે, હૃદયની ભીનાશ ઓગાળીને ભીતરથી કોરો કાટ હોય છે. પાને રંગ બદલ્યો એટલે ખરી પડ્યું , નહીં તો, વૃક્ષને સાચવવામાં ક્યાં વાંધો હોય છે. સંકટોના વનમાં ભટકતા ભટકતા, લીલોછમ માનવી રણ બની જાય છે. શૂન્ય માં આપણી એકલતા હોય છે, ને વર્તુળમાં પૂરો પરિવાર હોય છે. જીવ છાયા ની શોધ માં ભટકતો રહે છે, વગર વાંકે નમતી ડાળીઓ કપાતી હોય છે. આંસુને ધારદાર કહે એમાં ખોટું શું છે, હૃદય ચીરીને ને તો વહેતું હોય છે. ઉર્વશી એચ ત્રિવેદી
ન હોય ધીમું ધીમું બળશે પણ ખબર નહીં પડે, આ હૃદય છે તેનો ધુમાડો ન હોય. નક્કી મનના મકાનના ચણતરમાં આંસુ રેડાયા હશે, બાકી હરખનું મકાન આટલું પાકું ન હોય. અશ્રુઓ એકલતામાં સુકાઈ ગયા લાગે છે, નહીં તો રાખની નીચે ધખધખતો અંગાર ન હોય. જેને ટૂંટિયું વાળીને સૂવાની ટેવ હોય, તેની ચાદર ક્યારેય ટૂંકી ન હોય. નક્કી શબ્દો શાહીમાં ભીંજાયા નથી, નહીં તો કાગળો આમ તેમ રઝળતા ન હોય. નદી કિનારેથી તરસ્યા ફરનાર ને, ઝાંઝવાના જળની આશ ના હોય. ફૂંક મારવાથી ઓલવાઈ તે દીવો હોય, સુગંધ ધરાવતી અગરબત્તી ના હોય. ઉર્વશી એચ ત્રિવેદી
જાય છે જિંદગી ના સ્ટેજ પર કોઈ કલાકાર નબળો નથી, કર્મો પ્રમાણે રોલ ભજવતો જાય છે. ધ્યાનથી બેટિંગ કરવું પડે જિંદગીની પીચ પર, નજીકનો પ્લેયર જ સ્ટમ્પિંગ કરી જાય છે. મંજીલની દોડમાં રસ્તાઓ પસાર થતા જાય છે, છાયો દેનારા વૃક્ષો પાછળ છૂટતા જાય છે. વિચારો પાણી જેવા,ગંદકી ભેળવીએ તો નાલુ બની જાય છે, સુગંધ ભેળવીએ તો ગંગાજળ બની જાય છે. જીવન દીવાની વાટ જેવું પ્રગટે તો પ્રકાશ આપે, તિખારો થાય તો રાખ બની જાય છે. અંધારું માનવીના મનમાં હોય છે, દીવો મંદિરમાં કરવા જાય છે. શંકાની સોયથી માળાના મણકા પરોવીએ, તો ઈશ્વર મૃગજળ બની લલચાવી જાય છે. જેની ઇચ્છાઓ સૂર્યોદય થતાં જ બેઠી થાય, તેની ઉંમર આથમતી નથી ઉગતી જાય છે. ઉર્વશી એચ ત્રિવેદી
થાય છે કર્મોની બીક ક્યાંક તો છે મનમાં, તેથી ગંગાકિનારે ભીડ એકઠી થાય છે. ઉગતા સૂર્ય સામે આંખ પણ નથી ઉઘડતી, ડૂબતા સૂર્યને જોવા ટોળા જમા થાય છે. એક નાનો અમથો ઘા શું લાગ્યો જીવનમાં, ખોતરવા માખીઓ એકઠી થાય છે. ઝરણાંનું ખળખળ વહેતું સૂરીલું સંગીત, પથ્થર સાથે અફડાવાથી તાલબદ્ધ થાય છે. શ્વાસોના સરવાળા માંથી ઉંમરની બાદબાકી કરીએ, તો હિસાબ સરભર થાય છે. જેની ઇચ્છાઓ સૂર્યોદય થતાં જ બેઠી થાય, આથમતી નથી, તેની ઉંમર નો રોજ ઉદય થાય છે. ઉર્વશી એચ ત્રિવેદી
My poem is published in Canada Newspaper Gujrat Weekli
https://youtu.be/rCPqgH8bKI0
પડે છે પ્રભુના ચરણોમાં તો ફૂલ આખા ચડે છે, હૃદય સુધી પહોંચવા માટે સોય દોરાથી વીંધાવું પડે છે. કૂવામાંથી પાણી કાઢવા માટે ડોલને નમાવવી પડે છે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા આપણે નમવું પડે છે. ધંધો સાચવવા લોકોની માગણીઓ સમજવી પડે છે, સબંધો સાચવવા લોકોની લાગણીઓ સમજવી પડે છે. અભિમાન ન કરાય ક્યારેય પોતાના નસીબ પર, કાંકરી આવતા મોઢામાંથી કોળિયો બહાર કાઢવો પડે છે. નકશાઓ વગર સમુદ્રના પક્ષીઓ પોતાનો રસ્તો શોધી લે છે, મુકામે પહોંચવા માટે પોતાના પર વિશ્વાસ રાખવો પડે છે. કોઈ સામે જોશે નહીં તો બની રહીએ કાચના ટુકડા. આપણામાં કોઈ ઝાંકે તેના માટે અરીસો બનવું પડે છે. નસીબ ના પાના ખીચોખીચ ભરવા, પરસેવાની શાહીથી લખવું પડે છે. ઉર્વશી એચ ત્રિવેદી
ન આવે સારા કર્મો ની સુગંધ ફેલાવી જીવન જીવી જઈએ, અત્તર છાટીને જીવીએ તો પણ રાખમાંથી સુગંધ ન આવે. ગણિતનું જ્ઞાન સંબંધો વચ્ચે ન આવે તો, જીવનમાં તકરારનો વખત ક્યારેય ન આવે. જમીન અને ખાતર બંને સારા હોય પણ પાણી ખારું હોય, તો છોડવામાં ફૂલ ક્યારેય ન આવે. અપેક્ષા રાખીએ તો માનવીનું તળિયું મપાઈ જાય, નહીંતો તેની ઊંડાઈ નું માપ ક્યારેય ન આવે. ઘર નાનું હોય કે મોટું મીઠાશ ન હોય તો, કીડીઓ પણ ન આવે. બંધ મુઠ્ઠી માં રાખેલા પ્રેમ અને લાગણી ને વહેંચી દો, ખુલ્લી હથેળી એ જવાનું છે, ભેગું કાંઈ ન આવે. ઉર્વશી એચ ત્રિવેદી
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser