નોકરાણી

(65)
  • 6.8k
  • 1
  • 1.4k

સંતાન માટે એમણે જેણે જે કહ્યુ એ બધુ જ કર્યુ હતુ- અખતરા,ઉપચાર,દોરા ધાગા, માતા મહાદેવ, શહેર ના ટોપ નર્સિંગ હોમ અને ડોક્ટર ની મુલાકાત લીધી હતી. પણ બાળક ન થવાનું કારણ કોઈ બતાવી શક્યુ નહી. બંને શારીરિક રીતે તંદુરસ્ત હતા. પલ્લવી ને ગર્ભ રહેતો હતો પણ બે-અઢી માસ પછી તૂટી જતો હતો. આવુ ચારેક વાર થયુ હતુ, પલ્લવી ના બધા જ રિપોર્ટ કરાવ્યા પછી પણ આનુ કારણ કોઈ ડોક્ટર જણાવી શકતો ન હતો.