વૃદ્ધાશ્રમ

(65)
  • 10k
  • 2
  • 2.3k

ઉચ્ચ હોદ્દાની સરકારી નોકરીમાંથી ભગવાનભાઈ છ વર્ષ પૂર્વે જ રીટાયર થઇ ચૂક્યા હતા. રીટાયર થવાના ચાર જ મહિનામાં તેમના પત્ની સરલાબેનનું અવસાન થઇ ગયું હતું. નવરંગપૂરાના વૈભવી વિસ્તારમાં તેમનો ચાર રૂમનો આલિશાન બંગલો હતો. કાલે ઉઠીને પંડને કાંઈ થાય તો મિલકતની ટ્રાન્સફર-વિધિ સુરજને ફાવે કે ન ફાવે, તેવી ગણતરીથી એમણે તે બંગલો સુરજ અને વંદનાના નામે કરી દીધો હતો. હિતેછુઓએ તેમ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. પણ-‘ મને મારા લોહીમાં અને સુરજમાં ખુદ મારી જાત કરતા વધારે વિશ્વાસ છે’-તેવું ધ્રુવ વાક્ય તેઓ દરેક મિત્ર સાથેની ઉગ્ર ચર્ચાને અંતે બોલતા. અને મિત્રો- હિતેચ્છુઓ ઝંખવાઈ જતા.