પૃથિવીવલ્લભ - 27

(70)
  • 8.2k
  • 8
  • 2.4k

પૃથિવીવલ્લભ - 27 (મૃણાલે રસ્તો કાઢ્યો) મૃણાલવતી અસ્થિર ચિત્તે વિચાર કરી હી, પણ કંઈ નિશ્ચય પર આવી શકી નહિ. મુંજે તેને બળજારીથી હા કહેવડાવી હતી તેણે રાતે અવંતી જવાનું વચન આપ્યું હતું. મુંજની મોહક આંખોની નજર બહાર થતાં, આ વચન તેને રુચ્યું નહિ. તેનું માન, તેનું ગૌરવ, વર્ષોના રચેલા મહ¥વાકાંક્ષાના કિલ્લા, અત્યાર સુધી સત્તા મેળવવા આદરેલા મહાપ્રયત્નો આ બધાંના આ વચનથી ચૂરેચૂરા થઈ જતા હતા.