મોતનો પાઠ

(33)
  • 3.1k
  • 4
  • 769

   બધી જ લોકલ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરમાં એક જ news બ્રેકિંગ થઈ રહ્યા હતા  “પ્રગતિ મહેતા નું ખૂન કરનાર હજી સુધી પકડાયો નથી”     પ્રગતિ મહેતા એક હોનહાર ,સફળ અને ઈમાનદાર વ્યક્તિ હતી. તે એક  ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી. એને ત્યાં કામ કરતાં ટીચર્સ અને students પોત પોતાના વિષયમાં અવ્વલ નંબરે રહેતા. જેમ એન્જિનિયરિંગ અને મેડિકલ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે એવી જ રીતે આ પ્રગતિ મહેતાના ટ્યુશન ક્લાસીસ માં પણ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતા. પ્રગતિ મહેતા કોચિંગ ની દુનિયામાં મોટું નામ હતું.     હવે આટલા  નામચીન ક્લાસીસની સ્થાપકને કોઈ શુકામ મારે? આજ સવાલ સામાન્ય જનતાથી લઈને પોલીસ સુધી ચર્ચાતો