જીવનની હકીકત - 5

  • 2.6k
  • 1
  • 745

પોળમાં બધા તેમને ગાંડી કહેતા.આખો દિવસ ઓટલે બેસી જતા આવતા જોડે બૂમો પાડી લડ્યા કરે.પાંચ વર્ષ પહેલાં એમની જુવાનજોધ દીકરી કોઈ માસ્તર સાથે ભાગી ગયેલી,કાંતાના મોટાભઇઓએ બે દિવસ પછી શોધી ઘરના ભોંયરામાં પૂરી દીધેલી.કાંતાએ સાડીનો ગાળિયો કરી ત્યાંજ આપઘાત કર્યો,પોલીસ કેસ થયો તેમાં બે ભાઈઓ છટકી ગયેલા.ત્રીજો જેલમાં ચક્કી પીસે છે.તે દિવસના ડોશી બબડે 'મૂઈ તળાવે જઈને પડી હોત તો મારો નાનીયો ... કહી પોક મૂકતા.એમને પાણી આપનાર કે ઘરમાં લઈ જઈ સુવાડનાર કોઈ નહિ .બાને દયા આવે ,રોટલી શાક કે ચપટી ચવાણું ને ચા આપી આવે.પડોશીઓને કોઈને ડોશીનો કકળાટ ગમતો નહિ .કહેતા:'જીવતેજીવ નરક જેવું આવું દુઃખ ! બિચારી છોડીની હાય માને લાગી ,ભગવાન છોડે તો હારું '