કલેશ્વરી!! મહીસાગર જિલ્લા ના મુખ્યમથક લુણાવાડા થી મોડાસા હાઈ વે તરફ ત્રીસ કિમિ દૂર આવેલું પ્રાકૃતિક સૌંદર્ય તથા પૌરાણિક શિલ્પ સ્થાપત્યો થી ભરપૂર પૌરાણિક સ્થળ. કહેવાય છે કે પાંડવો ગુપ્તવાસ દરમિયાન અહીંયા આવી ને વસેલા. અહીં વર્ષ માં બે વખત લોકમેળો ભરાય.. શિવરાત્રી અને જન્માષ્ટમી. શિવરાત્રી ના મેળા માં રાજસ્થાન થી કલાકારો આવે. આઠમ પર સ્થાનિક લોકલ કલાકારો. ક્યારેક એનઆરઆઈ પણ મુલાકાત લેતા હોય. આવોજ આઠમ નો મેળો કલેશ્વરી ખાતે ભરાયો છે આજુ બાજુના ચાલીસ પચાસ ગામનું મનેખ મેળો માણવા આવી પોહચ્યું છે. મેળા માં ઠેર ઠેર પાન વાળા