આરોહી - 3

(75)
  • 3.4k
  • 6
  • 1.6k

આરોહીના ઘરમાં શોકનું વાતાવરણ યથવાત છે. વૈભવભાઈના મનમાં નેતા અને એના દીકરા માટે પૂરો જોશમાં ગુસ્સો છે. અહીં નેતા પણ ટેન્શનમાં છે. પોલીસ નેતાના ઘરે વોરન્ટ લઈને આવી ચડી છે. "નેતાજી અમારી પાસે વિરાટની ગિરફ્તારીનો ઓર્ડર છે.." "ઓહ.. અચ્છા, તો તમે મારા દીકરાને લઇ જશો એમ?" "નેતાજી અમારા હાથમાં નથી. મીડિયા અને ઉપરથી ઘણું પ્રેશર છે. અમારે વિરાટને આજે લઇ જ જવો પડશે.." વિરાટ અને શર્મિલા પણ ત્યાં આવી જાય છે. શર્મિલા વિરાટની ગિરફ્તારી વિશે સાંભળીને ચિંતિત બને છે. "મારા દીકરાને કોઈ ક્યાંય નહીં લઇ જાય.. તમે અહીંથી ચાલ્યા જાઓ.." શર્મિલા પોલીસ કર્મચારીને કહે છે. "મેડમ સમજવાની કોશિસ