વાઘણ

(47)
  • 2.5k
  • 9
  • 1k

          અજેયપુર નામનાં શાંત, સુંદર અને રળિયામણા ગામમાં આજની સાંજ જાણે ચર્ચાનું ભયંકર વંટોળ લઈને આવી હતી. કુહાડીનાં બે ઘા મારીને મોતને ઘાટ ઉતારેલ ગામનાં સરપંચ ઠાકુર અમરસિંહની લાશ અભેદ્ય અવસ્થામાં તેમનાં જ ખેતરેથી મળી આવી.           ગામનાં પ્રત્યેક વ્યક્તિનાં મનમાં અનેક સવાલોનો મારો ચાલતો હતો. દરેક જણ બીજાને પૂછતું હતું - ખૂન કોણે કર્યું હશે ? કેમ કર્યું હશે ? પણ આ સવાલોનાં ચોક્કસ જવાબો તો કોઈની જોડે ન હતાં.           પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તેમણે આવીને પ્રાથમિક તપાસ શરૂ કરી. પોલીસે હત્યામાં વપરાયેલ કુહાડી અને લાશને પોતાનાં હસ્તક કર્યા. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ