વિષાદ યોગ- પ્રકરણ-11

(194)
  • 7.6k
  • 2
  • 4.6k

નિશીથે બાઇક ચલાવી એટલે કશિશે કહ્યું “ બાઇક તારા ઘરેજ લઇલે.” નિશીથે પણ કોઇ પણ પ્રશ્ન પૂછયા વિના બાઇક તેના ઘર તરફ જવા દીધી. નિશીથને ખબર હતીકે પોતાની વાતથી કશિશને ખોટું લાગ્યું છે પણ નિશીથ તો તેને સાચી વાત જણાવી નિર્ણય માટે એકદમ સ્વતંત્રતા આપવા માગતો હતો. નિશીથે આગલા દિવસેજ નક્કી કરી લીધું હતું કે કોઇ પણ જાતની લાગણીનું દબાણ આપ્યા વિના કશિશને તેનો નિર્ણય લેવાની છૂટ આપવી છે. એટલેજ તેણે વાત કર્યાબાદ કશિશને સ્પષ્ટ કહ્યું કે “હવે તારે નક્કી કરવાનું છે કે તું મારી સાથે જિંદગી જીવવા માગે છે કે નહીં.” નિશીથ અને કશિશ બંને પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા