એક અલોકીક શક્તિ.... પંચમહાભૂતો

(13)
  • 2.9k
  • 5
  • 758

સવાર ના ૭:૦૦ વાગ્યા નો સમય છે . આદિત્ય ભટ્ટાચાર્ય ના ઘરમાં નીરજા ના નામ ની બૂમો પડાઈ રહી છે પણ આ વાત થી અજાણ અને પોતાની દુનિયા માં રહેવાવાળી નીરજા તો ,ઘરમાં કોઈ ને પણ કાઈ કહ્યા વગર હંમેશા ની જેમ સમુદ્ર કિનારે રેતી માં બેઠી બેઠી પોતાની એક સુંદર દુનિયા બનાવી રહી હતી....... આજે નીરજા ની 18 મી વર્ષગાંઠ છે અને તે જ્યારે સમજવા શીખી ત્યારથી પોતાનો જન્મદિવસ આ સમુદ્ર કિનારે ઉગતા સુરજ સાથે મનાવતી આવી છે. આકાશ માં સુરજ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો હતો.દૂર જ્યાં ધરતી અને આકાશ એક થઈ એક સુંદર ચિત્ર