બડે પાપા - નવલકથા - પ્રકરણ - 9

  • 3.1k
  • 2
  • 1.1k

તે જ દિવસે સાંજના ત્રિવિધિ  એ  તેને માહિતી આપતા કહ્યું હતું .  '  જીજુ ! તમે નાહકની  પળોજણ શિરે ઓઢી લીધી છે . તેને તમારી લાગણીની કોઈ  કિંમત નથી . તેણે તમને જૂઠું કહ્યું છે . હકીક્ત કંઈ  ઑર  છે  . આગલી રાતે જ બંને એ સાથે જવાનો પ્રોગ્રામ તૈયાર કરી લીધો હતો ..સુહાની પોતાની માતાના નક્શ કદમ પર ચાલી રહી હતી . તેનો એહસાસ જાગતા સત્યમ અસ્વસ્થ થઈ ગયો હતો .તેની રગરગમાં જૂઠાણાનો વાસ હતો . તે જાણી સત્યમના હૈયે વિષાદની લાગણી જાગી હતી . સુહાની તેને મન એક સગી બહેનથી પણ વિશેષ હતી . પણ એકાંતમાં સત્યમ ભાન ભૂલ્યો