રમત - ૨

(31)
  • 2k
  • 4
  • 762

ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, માણેકલાલ શાહ એક એવું નામ અને ઉદ્યોગજગતનો એક એવો સિતારો, જે પોતાની ચમકથી સમગ્ર વિશ્વને આંજી નાખવા તત્પર હતો અને આજ અચાનક જ એ સિતારો ખરી પડ્યો. પ્રાપ્ત માહિતી અને પ્રાથમિક તપાસ પરથી માણેકલાલ શાહે આત્મહત્યા કરી હોય એમ ચર્ચાઇ રહ્યુ છે. આ આઘાતજનક ખબરે સમગ્ર ઉદ્યોગજગતને હચમચાવી મુક્યુ છે. માણેકલાલ શાહ અને આત્મહત્યા ? આ વાત કોઇના ગળે ઉતરે એવી નથી. ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ. તેઓ મનોમન વિચારવા લાગ્યા “દુનિયાની મોટી મોટી કંપનીઓને