આજે તો વગડામાં વત્સલા બાપુની રાહ જોઈ રહી હતી. દિવસ ઢળ્યે રાહ બાપુની જ જોઈ શકાય એમ હતું. સપનામાં જેની રાહ જોતી એ વીરસિંહ તો મહાસત્તાઓ વચ્ચેના યુદ્ધનું પ્યાદુ બની ગયો હતો. આવા વખતમાં એના બાપુ જીવન અને મરણ નામની બે મહાસત્તાઓમાંથી જીવનને પડખે રહ્યા એનો આનંદ હતો.