બડે પાપા - નવલકથા - પ્રકરણ ૧૫

  • 3k
  • 3
  • 1k

ભગવાન બહુજ મોટો નાટ્યકાર છે ! એક  લેખક  છે ! તે  આપણને  ગમતા લોકો આપણી  પાસેથી છિનવી  લે છે , આપણને લોહીના આંસુ રોવડાવે છે . જખ્મોની લહાણી કરે છે , અને   તે જ મલમ પટ્ટી લગાવે છે અને આપણા મન ગમતા પાત્રની જગ્યાએ બીજાને ગોઠવી દે છે .સત્યમ તે દિવસોમા'  શેઠ બ્રધર્સ ' નામની જાણીતી એક્સપોર્ટ ઈમ્પોર્ટ પેઢીમા ઓફિસર તરીકે કામ કરતો હતો  ! આ જોબ તેને અનિકેતના પિતરાઈ ભાઈ થકી હાથ લાગ્યો હતો . સુહાનીના મોતનો જખમ હજી રૂઝયો નહોતો . તે ઘણો જ અપ સેટ રહેતો હતો . સુહાનીના મૃત્યુ બાદ કુદરતે તેને જબરો ફટકો માર્યો હતો . તેની માતા