કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

(14)
  • 8.5k
  • 6
  • 1.6k

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત શું છે? ૧. તમારા વિચારો તમારી વાસ્તવિકતા બને છે. ૨. તમારી વર્તમાન પરિસ્થિતિઓ બીજું કંઈ નહીં પણ આજ દિન સુધી તમે જે વિચારો અને કર્મો કર્યા હતા તેનું પરિણામ છે. આમાં જાણતા અને અજાણતા કરેલા એવા બંને પ્રકારના વિચારો અને કર્મોનો સમાવેશ થાય છે. ૩. આ પરિસ્થિતિઓનો ઉદ્દેશ તમને દુઃખમાંથી બહાર લાવી આનંદ મેળવવામાં સહાય કરવાનો છે. તમે તમારા વિચારોને બદલીને તમારી વાસ્તવિકતા બદલી શકો છે અને જીવનમાં વધુ આનંદ ઉમેરી શકો છો. આમ, આપણું જીવન એ કોઈ અનિયોજિત અને અવ્યવસ્થિત રાસાયણિક પ્રક્રિયા નથી. ઉલટાનું, આપણાં જીવનને આનંદથી ભરી દેવા માટે ઈશ્વરે શ્રુષ્ટિની સુનિયોજિત વ્યવસ્થા કરી છે.