સમુદ્રાન્તિકે - 10

(76)
  • 7.4k
  • 1
  • 4.6k

સબૂરને રુક્મીપાણો આપ્યો છતાં મારા મનને સુખ મળે તેવું કોઈ કામ કર્યાનો મને સંતોષ નથી. મારે જે કામ કરવાનું છે તે કરવા બેસું ત્યારે અશાંત થઈ જવાય છે. આ ઉજ્જડ, વેરાન સમુદ્રતટ પર રસાયણક્ષેત્ર બનાવાય તો ધરતીને, તેના પર્યાવરણને અને માનવવસ્તીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો અહેવાલ મારે તૈયાર કરવાનો છે.