પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 5

(37)
  • 3.6k
  • 5
  • 1.9k

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એની પાસે જાય છે, એ પરત પાછો ફર્યા પછી શું થાય છે એ જોઈએ..) અર્ણવ ફરી પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો. પણ હવે એની પાસે જીવવા માટે એક કારણ હતું એની સંજીવની ગિરિકા. સુક્કા રણમાં મીઠી વીરડી સમી ગિરુ. નિયમિત પત્રોની આપ લે થતી. ને ગિરિકાના પત્રો જ અર્ણવને નવું જોમ પૂરું પાડતા હતા. અર્ણવ નવરો પડે એટલે એ પત્રો વાંચીને જ સમય પસાર કરતો. એ ગિરિકા ને સંગીતથી પણ વધુ ચાહવા લાગ્યો. ક્યારેક તો એવું થતું કે ગિરિકાના વિચારોમાં રિયાઝમાં પણ ભૂલો કરતો. ગિરિકાને આ વાત કહે એટલે સામે ઠપકાભર્યો પત્ર