ત્રિરંગી

  • 3k
  • 1
  • 939

ગુજરાતીના એ હિતશત્રુઓને-0રવીન્દ્ર પારેખ0ગુજરાતીનો એક નાનો વર્ગ છીછરા લોકોનો છે જે નાકનું ટેરવું ચડાવીને ગુજરાતી સાહિત્યની ને ગુજરાતીની ઘોર ખોદવાનું કામ કરી રહ્યા છે.એ લોકોએ ગુજરાતી સાહિત્ય વાંચ્યું પણ નથી પણ એમને ગુજરાતી સાહિત્ય ફિસ્સું લાગે છે.ગુજરાતી લેખકોમાં વિત્ત નથી એવું એમને લાગે છે.માધ્યમોમાં પીરસાતું સાહિત્ય એમને યુવાનોનું સાહિત્ય લાગે છે,ભલે લાગે,સાહિત્યને કોઈ એક લેખક કે સમૂહ ઘડતો નથી.એને સમય ઠરીઠામ કરે છે,પણ પેલો વર્ગ એવી રીતે વર્તે છે કેમ જાણે સાહિત્યનો ઇતિહાસ એ સર્જી રહ્યો છે.આ બાલિશતા છે.હવેનું સાહિત્ય એમની આંગળી પકડીને આવવાનું હોય એવા વહેમમાં આવા લોકો નસકોરાં ફુલાવતા રહે છે,પણ સત્ય જુદું હોઈ શકે છે.એમની પાસે આવનારા