પદવી

  • 1.9k
  • 1
  • 706

પદવી ----------------- અનુભવે સમજાયું છે કે જીવનમાં આપણે કોઇ પોસ્ટ એટલે કે પદવી પર પહોંચીએ ત્યારે કારણ વગર આપણે આપણા હિતેચ્છુઓનાં દુશ્મન બની જઈએ છીએ. આપણે જે પોસ્ટ પર છીએ તેને વફાદાર રહેવા માટે ન સમજાય તેવી યાતનાઓ સહેવી પડે છે. આપણી સમક્ષ ભીષ્મનું ઉદાહરણ આપણી આંખો સામે છે. ભીષ્મપિતામહે આવેશમાં પ્રતિજ્ઞા લઈ લીધી કે તેઓ હસ્તિનાપુરને વફાદાર રહેશે. અર્થાત હસ્તિનાપુર જે રાજા હશે તેને વફાદાર રહેવું. પરિણામે તેઓને મનેકમને અસત્ય શાસકને મૃત્યુપર્યંત વફાદારી નિભાવવી પડી. આપણે પણ જરૂર પડે ત્યારે આપણું કામ પાર પાડવા લાગવગશાહીનો ઉપયોગ કરીને સામેવાળા વ્યક્તિને મુસીબતમાં નાખીએ છીએ જેમકે શાળા