સપ્તેશ્વર મહાદેવ

(19)
  • 7.8k
  • 2.4k

આપણી સંસ્કૃતિમાં નદીનું અદકેરું મહત્વ છે. માનવ સંસ્કૃતિ નદી કાંઠે જ વસી વિકસી છે. આથી જ તો નદી સરિતા ને લોકમાતા કહેવામાં આવે છે. ગામના પાદરમાં થી ખડખડ વહેતી નદી એ ગામની મહામૂલી સંપત્તિ છે. એમાંય ચોમાસાની સિઝનમાં નદીકાંઠે પ્રકૃતિ પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે. તેમાંય વહેલી પ્રભાતે નદીનું સૌંદર્યનો ખૂન ઊગતા સૂર્યના બાલકિરણો નદીના ખળખળ વહેતા પાણીમાં સોનેરી પટ્ટા પાડતા હોય. પ્રભાતના વખતે નદી ને નદી કાંઠો જીવંત બની ઉઠી છે પનિહારીઓ હાથમાં કંકણ રહેતા હોય છે પાણીના બેડા સાથે પનિહારીઓ કલબલાટ સંભળાતો હોય દુર નદી કાંઠે આવેલા મંદિરે આરતીનો ઘંટારવ થતો હોય.