વિષાદયોગ - પ્રકરણ - 44

(184)
  • 6.4k
  • 6
  • 4k

ઉર્મિલાદેવીએ વાત કરવાનું ફરીથી ચાલું કરતાં કહ્યું “યોગેન્દ્રસિંહ ખુબ મહેનત કરી સરદાર પટેલને મળ્યાં અને બધી વાત કરી. સરદાર પટેલે તેને સમજાવ્યા અને કહ્યું હવે અખંડ ભારતમાં રજવાડાનું અસ્તિત્વતો શક્ય નથી પણ તમારો માન મરતબો જળવાઇ અને તમને સાલીયાણા પેટે અમુક રકમ દર વર્ષે મળશે એવી વ્યવસ્થા હું ચોક્કસ કરીશ. આ વાત સાંભળી યોગેન્દ્રસિંહને એક વાત સમજાઇ ગઇ હતી કે હવે તેના રજવાડા તો ટકી શકવાના નથી. તે હજુ તેમાંથી શું કરી શકાય તેની વિચારણામાં હતા ત્યાં તેને એક દિવસ ખુબ ખરાબ સમાચાર મળ્યાં. તે હજુ તૈયાર થઇને બહાર જતા હતા ત્યાં એક માણસે તેને આવી કહ્યું “ હૈદરાબાદથી