રુદ્ર ની પ્રેમકહાની - 9

(183)
  • 3.5k
  • 13
  • 2k

પંચરાજ ની સેના સામે થયેલાં પરાજય પછી સાથે સાથે નિમ લોકો માટે એક સંધિ પણ તૈયાર કરવામાં આવી જે મુજબ પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશ ને પણ મનુષ્યો એ બંધ કરી દીધો. ગુરુ ગેબીનાથે પોતાની દિવ્ય શક્તિ વડે સૂર્યદંડ ને માં ભૈરવી નાં મંદિર પર સ્થાપિત કરી સૂર્ય પ્રકાશ ની સમસ્યા નો પ્રશ્ન ઉકેલી દીધો. સાથે-સાથે ગેબીનાથે નિમ રાજાઓને સલાહ આપી કે એમની સંતાનોનાં વિવાહ કરાવે.. બધાં રાજવીઓ એ આ સલાહ માથે ચડાવી પોતપોતાનાં દીકરા-દિકરીઓનાં ગેબીનાથ નાં કહ્યાં મુજબ લગ્ન કરાવી દીધાં.. જેનાં કારણોસર નિર્વા અને દેવદત્ત નાં ઘરે એક તેજસ્વી પુત્ર-રત્નનો જન્મ થયો જેનો નામ ગુરુ ગેબીનાથે રુદ્ર રાખ્યું.