વંશ વારસ

(36)
  • 4.6k
  • 2
  • 1.4k

''પણ તને વાંધો શું છે આ ટેસ્ટ કરાવવામાં?? આપણને ખબર તો પડે આવનાર સંતાન પુત્ર છે કે પુત્રી???'' શીલાબહેને આ વાત તેની પુત્રવધુ નેહા ને કરી. શીલાબહેનના પુત્ર જનકે નેહા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં, નેહા એક પૈસાદાર ઘરની દીકરી હતી અને જનક એક મધ્યમ વર્ગમાં ઉછરેલો. નેહા તેના પિતાની એકની એક પુત્રી હોવાથી અતિશય લાડકોડમાં ઉછરેલી પરંતુ સ્વભાવે એકદમ વિનમ્ર હતી. જનક અને નેહાએ તેમના પરિવારની મરજી વિરુદ્ધ જઇને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતાં કારણ કે નાત નું બંધન તેમના લગ્ન માં રુકાવટ નાખતું હતું. જનક એક ઉચ્ચ બ્રાહ્મણકુળના પુત્ર હતો જ્યારે નેહા પટેલ પરિવારમાંથી હતી તેથી તેમના પરિવારે લગ્નની મંજૂરી