શાપિત વિવાહ -11

(91)
  • 8.6k
  • 6
  • 7.3k

બેટા તને ખબર છે કે આપણા અને જયરાજસિંહ ના પહેલેથી એટલે કે વિશ્વરાજસિહ વખતથી જ સારા સંબંધો હતા કોઈ એવુ સગપણ નહોતું છતા બંનેના ધંધાઓમા લેવડદેવડ અને વ્યવહાર ચાલતો.પણ એ વ્યવહાર એવા રહ્યા હતા કે સાથે ઘર સુધી એ પહોંચ્યા હતા. એટલે કે આપણા બંનેના ઘરેથી બધા એકબીજા ના ઘરે જતાં. બધા સાથે બહુ સારું બનતું. એ પ્રમાણે જ હુ પણ ત્યાં જતો બાપા સાથે. ત્યાં કુમુદ પણ બધાની સાથે હોય. અમે સાથે જ રમતા. અને હવે ધીરે ધીરે બધા મોટા થઈ ગયા હતા. મારે અને કુમુદને બહુ ભળતુ. એ સમયમાં તો બહુ નાની ઉમરમાં લગ્ન થઈ જતાં. અને એમાં