મારો શું વાંક ? - 1

(49)
  • 6k
  • 9
  • 3.6k

માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય સમાજમાં થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ્નો છે. સમાજમાં પ્રવર્તતા અનેક દૂષણોમાં બાળલગ્નનું દૂષણ આગળ જતાં ખૂબ જ ગંભીર પરિણામ લાવે છે. આજના સમયમાં અમુક કિસ્સાઓને બાદ કરતાં નાનપણમાં થયેલા લગ્ન મોટાભાગે તૂટે છે. વડવાઓએ બનાવેલી પરંપરામાં બે નાના બાળકો જેને લગ્નસંસ્થા શું છે તેની પૂરી સમજણ પણ નથી હોતી તેવા સંબંધમાં તે પીસાઈ મરે છે. ભારત અને ગુજરાતનાં અનેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્ન પર પ્રતિબંધ હોવા છતાં હજી સુધી આ પ્રથા અમલમાં છે. બાળલગ્નના કિસ્સાઓમાં મોટાભાગે છોકરીઓને વધરે સહન કરવાનું આવે છે. બાળલગ્નનાં કિસ્સાઓમાં મોટેભાગે છોકરી લગભગ ઓછું ભણેલી કે અભણ રહી જાય છે જ્યારે છોકરાનું ભણતર લગ્ન પછી પણ ચાલુ રહે છે જેને કારણે બંનેનું અંતર વધી જતું હોય છે. છોકરો ભણીગણીને આગળ વધી જાય છે જ્યારે સામે છોકરી ભોટ રહી જાય છે... જેથી પછી સર્જાય છે લગ્નમાં ભંગાણ. આ નવલકથામાં થયેલાં બાળલગ્ન આગળ જઈને કઈ રીતે તૂટે છે અને સ્ત્રીપાત્રને કેવી આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેનું જીવવું કેટલું દુષ્કર થઈ પડે છે અને લગ્ન તૂટ્યા પછી કેવા પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે તેનું આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. વાચકોના પ્રતિભાવ મારા માટે ખૂબ જ આવકાર્ય રહેશે અને આગળ વધારે સારું લખવાની પ્રેરણા આપશે.