રાવણોહ્મ - ભાગ ૧૩

(29)
  • 2.8k
  • 1.2k

નર્મદાશંકરે પૂછ્યું હવે આગળ શું ઈરાદો છે ? રુદ્રાએ કહ્યું મારુ લક્ષ્ય ફક્ત એકજ છે સોમ નું મૃત્યુ . નર્મદાશંકરે કહ્યું તું તેને આ રીતે નહિ મારી શકે . રૂદ્રાએ કહ્યું શું તે અમરપટ્ટો લખાવીને આવ્યો છે તે દિવસે મારી રિવોલ્વર ભલે જામ થઇ ગઈ પણ હવે તે છે અને મારા ચાકુની ધાર છે . નર્મદાશંકર જોર જોરથી હસવા લાગ્યો એક ખૂણામાં રુદ્રાનો સમાન પડ્યો હતો તેમાંથી તેનું ચાકુ કાઢ્યું અને તેની તરફ ફેંક્યું અને કહ્યું કે ચાલ મારી ઉપર વાર કર અને જો ચાકુ મને અડી પણ જશે તો હું માની જઈશ કે તું સોમ ને મારી શકશે. રૂદ્રાએ