સ્વાર્થના સગાઓ....

(15)
  • 1.7k
  • 1
  • 532

સવિતા બેનને કેન્સરની બીમારી એમ તો ઘણા સમય થી હતી . અને તેઓ આયુર્વેદ થી લઈને ઘણી દવાઓ કરી ચુક્યા હતા. ઘરમાં અને પરિવારમાં પતિ દીકરો વહુ અને દીકરી બધાજ તેમની સlર સંભાળ સારી રીતે રાખતા. પરતું દરદ મટી ગયું હતું અને ફરી ઉથલો મારી ચુક્યું હતું. હવે બધી દવા લગભગ બંધ કરી નેચરોપથી પર હતા. કારણ ડોકટરો પણ કહી ચુક્યા હતા કે ખાસ ફરક નહી પડે. જેટલા દિવસ છે શાંતિથી પસાર થાય તે જુઓ. પતિ મનોજભાઈ સેવા કરતા પણ ફરક ન પડ્યો. મનોજભાઈ હમણાજ કારખાનામાંથી નિવૃત થયા હતા. વટવામાં સગાની ફેકટરી માં જ મેનેજરની સારી એવી નોકરી કરતા હતા.