સત્સંગ

  • 7.6k
  • 1.4k

વાર્તા-સત્સંગ લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.97252 01775 સ્વામી ભવ્યાનંદ નો સંતકથા ઓ વિશે પ્રવચનો નો આજે છેલ્લો દિવસ હતો.હૉલ ખીચોખીચ ભરેલો હતો.લગભગ પંચોતેર વર્ષની ઉંમરે પહોંચેલા સ્વામીજીની વાણી ભક્તિ રસથી તરબોળ હતી.રોજ રાત્રે ત્રણ કલાક તેમનું પ્રવચન ચાલતું જેમાં ભક્તિ અને સત્સંગ સિવાય બીજા કોઇ વિષય ની વાતો થતી નહીં.ત્રણહજાર માણસોની બેઠક વ્યવસ્થા વાળો હૉલ એકપણ દિવસ ખાલી નહોતો રહ્યો.લોકો મોબાઇલ અને ટી.વી.જોવાનું પણ ભૂલી ગયા હતા. સતત તણાવવાળી અને ભાગદોડ વાળી જિંદગીથી કંટાળેલા લોકો ને સ્વામીજી ના પ્રવચનોથી ખૂબજ માનસિક શાંતિ નો અનુભવ થયો હતો.સ્વામીજી રોજ બે કલાક સંતકથાઓ વિશે સત્સંગ કરતા અને