મહાનુભાવો નો સંવાદ - 1 (ઝવેરચંદ મેઘાણી અને રમણલાલ દેસાઈ)

  • 2.9k
  • 769

ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહ્ન ને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથ નું ઓશીકું કરી નિરાંતે સુતું હતું. આવા સમયે ર.વ.દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલીશાન મહેલ ના એક ઓરડામાં બેઠાં રસજરતી વાતોમાં ગળાડૂબ હતા. આ બંને શબ્દ સ્વામીઓ ની રાત ઊભી રહી ગઈ હોય તેમ સાવ સૂનકાર ભાસતો હતો. પાંદડું પડખું ફરે તો પણ અવાજ આવે એવું નીરવ વાતાવરણ જામી ગયું હતું.મેઘાણી બાપુ સમય કાઢી ને ર વ દેસાઈ ને મળવા આવ્યા હતા.(રાષ્ટ્રીય શાયર_ઝવેરચંદ મેઘાણી,, યુગમૂર્તી વાર્તાકાર_ર વ દેસાઈ.. રમણલાલ દેસાઈ)..!રમણલાલ ગાયકવાડ સરકારના મોટા અમલદાર. તેથી સમય ની ભારે સંકડામણ રહેતી પણ મેઘાણી જેવો વાતરેખો મનેખ