કોરોના યોદ્ધો 23 વર્ષની હેતલ

  • 2.7k
  • 957

બધી જ મહાસત્તા, તમામ મહારાજા અને જગતનો જન જન જેનાથી ત્રાહિમામ છે એવા કોરોના વાયારસને હવે પ્રાણી સિવાય દરેક મનુ ઓળખતો થઈ ગયો છે. આકાશ પાતાળમાં બસ આ કોરોનાના ભરડામાંથી કઈ રીતે બહાર નીકળવું એની જ માથાકૂટ ચાલી રહી છે. આમ પણ જીવ કોને વ્હાલો ન હોય?? છતાં પણ અમુક વર્ગ પોતાના જીવની પરવાહ કર્યા વગર જનસેવાનું કામ કરે છે. આમ તો ઘણા લોકો કામ કરે છે પણ મારા ઓળખીતા છે એટલે એના વિશે લખવાનું નિમિત્ત બન્યું. આ લખાણ એ દરેક માટે છે, જેણે આવા કરિકાળમાં પોતાનાથી આગળ બીજા લોકોનું અને દેશનું પહેલા વિચાર્યું. એ પછી કોઈ ડોક્ટર હોય તો