ઈત્તફાક કે ભૂલ??

(12)
  • 2.1k
  • 1
  • 842

ચોમાસાની શરુઆત થઈ ચૂકી હતી. વાતાવરણમાં ભીનાશ હતી.સાંજે છ વાગવા જઈ રહ્યા હતા. ધરમપુર થી થોડે દૂર આવેલ મોહનગઢની ટેકરી રોજ કરતા આજે વધારે સુંદર લાગતી હતી. એ ટેકરી પર આવેલ શીવજીનું મંદિર ટેકરીની શોભા વધારી રહયું હતું. એ મંદિરના બાકડે બેસેલ નીરવ નામનો યુવાન પોતાના અતીત સાથે દલિલ કરી પોતે ગૂનેગાર ન હોવાનું મનોમન સાબીત કરી રહ્યો હતો. સાત વર્ષ પહેલા આજ જગ્યા એ બેસીને નીયતીને ફોન પર પોતાનો દિલની વાત કહી હતી અને નીયતીએ ખૂબ રાજી રાજી થઈને એ વાત સ્વીકારી હતી. તે સમયે બન્ને જણ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. બંને જણ એકબીજાને ખૂબજ ચાહતા હતા. નીરવ