આર્યરિધ્ધી - ૫૧

(27)
  • 2.8k
  • 1.6k

આર્યવર્મન જેમ જેમ બોલી રહ્યો હતો તેમ બધા ચહેરા પરના ભાવ બદલાઈ રહ્યા હતા. રિદ્ધિની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ હતી. મૃત્યુની કગારે પહોંચેલા માતપિતા, પિતા સમાન એવા અંકલનું મૃત્યુ, ગંભીર રીતે ઘાયલ થયેલો ભાઈ અને જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો તેવા આંટી જ તેના ગુનેગાર નીકળ્યાં.આટઆટલું થયું હોવાં છતાં રિદ્ધિ કોઈ પણ ઘટનાને પોતાનાં પર હાવી થવા દે તેમ નહોતું કેમકે તેનાથી તેના ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર થાય તેમ હતું. એટલે રિદ્ધિ ખૂબ હિમતથી ખુદને સાંભળી રહી હતી.આર્યવર્મનની વાત પૂરી થઈ એટલે રિદ્ધિએ તેને ફરીથી સવાલ પૂછ્યો, “જો આર્યવર્ધને આ બધું નાટક કર્યું હતું તો શું મારા