મૃત્યુ પછીનું જીવન - ૨૯

(29)
  • 3k
  • 3
  • 1k

મૃત્યુ પછીનું જીવન—૨૯ આપણે ગયાં અંકમાં જોયું કે કેશુભાની ગાડી માં બેસી રાઘવ રશીદના બંગલા પર પહોંચે છે અને એને ખુબ આઘાત લાગે છે, જયારે એ જાણે છે કે એનો સૌથી ખાસ માણસ કેશુભા રસીદનો રોકેલો માણસ છે, હવે આગળ વાંચો...... ૧૫ બાય ૧૫ ની વિશાળ ઓફિસનાં કોર્નર પર, વોલ સાઈઝની બારી માંથી આવતાં સૂર્ય કિરણો, વોલ પર લગાવેલી પેઈન્ટીન્ગસ પર પડતાં જ નિયોન કલર્સથી બનાવેલાં એ ત્રણ પેઈન્ટીન્ગસ વધુ ઝળકી રહ્યાં. ત્રણેય પેઈન્ટીન્ગસ એક હરોળમાં લગાવેલાં હતાં. પહેલું પેઈન્ટીન્ગ ઘોડાઓની દોડમાં એક સૌથી આગળ દોડતાં ઘોડાનું હતું. બીજું પેઈન્ટીન્ગમાં ગાંધીજી, સરદાર અને નહેરુનાં હેન્ડમેડ સ્કેચ હતા.