સાચું દાન

  • 3.9k
  • 646

"ના.. ના.. એવું કેવી રીતે બને ??... ના.. એ શક્ય નથી..." આમ કહી વિનોદરાય સફાળા ઉભા થઈ ગયા અને એમની આમ ઝડપથી ઉભા થવાની ઘટનાથી એમની પૈડાં વાળી ખુરશી પાછળની દીવાલને અથડાઈ પડી. આવા અણધાર્યા આઘાતભર્યા પ્રત્યુત્તરથી તો સમાચાર સંભળાવનાર એમનો સેક્રેટરી નયન પણ ચોંકી ગયો. એણે આજ પહેલા વિનોદરાયને આટલા વિહ્વળ જોયા નહોતા. નયનને સમજમાં નહોતું આવતું કે આટલા સામાન્ય સમાચાર શેઠ માટે મહત્વનાં શા માટે હતા. એણે તો પૂછી પણ લીધું., " શું થયું સેઠ ? આટલાં કેમ દુઃખી થઈ ગયા ? "નયનનાં પ્રશ્નથી વિનોદરાય જાણે મૂર્છા માંથી જાગ્યા હોય એમ બોલ્યા... " ના.. ના..અરે... કઈ નહિ... તું જા..