યાતના

(21)
  • 2.8k
  • 1
  • 996

ઈલાને છેલ્લા ચાર-પાંચ દિવસથી મનમાં મથામણ ચાલતી હતી.આજે વેકેશન પડયાને લગભગ ૧૫ દિવસ થવાં આવ્યાં તોયે નીતાનો ફોન આ વેકેશન માં કેમ ના રણક્યો? શું થયું હશે? નીતા ને કંઈ ખોટું લાગ્યું હશે?? ના ,ના , પણ એવું તો કંઈ જ બન્યું નથી ને... તુષાર ને નીતા વચ્ચે કંઈ અણબનાવ ? ઈલાની મથામણ પણ સાચી હતી જ ને વળી...!!! ઈલા અને નીતા સંબંધે જેઠાણી-દેરાણી પણ બંને વચ્ચે પ્રેમ તો સગ્ગી બહેનો થી ય વધારે હતો... નરેશ ભાઈ,ઈલા અને એક દિકરી નુપુર શહેરમાં રહેતા ને તુષાર , નીતા, ને બે દિકરા મનન અને સપન હજુ પણ બાપ-દાદા નાં વતન એજ ગામડામાં રહેતા