પ્રિંસેસ નિયાબી - ભાગ 39

(17)
  • 3.7k
  • 4
  • 1.4k

ખોજાલે વરુઓને લઈ આવવાનો આદેશ કોટવાલને આપ્યો હતો. સૈનિકોની સાથે જ વરુઓની સેના પણ હતી. બધા વરુઓના પાંજરા આગળ લાવી ઉભા રાખી દેવામાં આવ્યા. ઓનીરે બધાની સામે જોયું. નિયાબીએ ઝાબીની સામે જોયું ને બોલી, ઝાબી આ વરુઓ ને તારે સંભાળવાના છે. આની સામે લડીને ઘાયલ થવાનો કોઈ મતલબ નથી. જાણી જોઈને મોતના મુખમાં ના જવાય. ઝાબીએ નિયાબી સામે જોયું ને કહ્યું, જી હું સમજી રહ્યો છું કે તમારો ઈશારો શુ છે.અગીલા: જો હું ઠીક સમજી રહી હોવ તો નિયાબી તમે ઝાબીને કાચોસોરીન જાદુનો ઉપયોગ કરવાનું કહ્યું બરાબર?નિયાબી: હા અગીલા બરાબર. ને જરૂર પડે તમે લોકો પણ જાદુનો ઉપયોગ કરી શકો છો.ઓનીર: જો