મેલું પછેડું - ભાગ ૧૫

(39)
  • 3.3k
  • 2
  • 1.4k

જેસંગભાઈ એ જ્યારે કાળી ના મોત ને કુદરત ની ઈચ્છા કહી ત્યારે હેલી ને સત્ય કહેવાનું ઘણું મન થયું પણ તે સમય જોઇ ચૂપ રહી. જમી ને જેસંગભાઈ ને ફરી મળવાનું વચન આપી ,રામ રામ કરી તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે રામભાઈ બોલ્યા, ‘ગામ ના સરપંચે કીધું કે તમે સરપંચ ની મે’માનગતિ છોડી લોકો ના ઘરે મે’માન થયા ઈ સરપંચ ને ના ગમ્યું એને ફરી રાત માટે નોંતરૂ મોકલ્યું સે’. ‘