જીંગાના જલસા - ભગા 11

  • 2.2k
  • 620

પ્રકરણ 11 આગળ આપણે વૃંદાવનના વિવિધ સ્થળો વિશે તથા જીંગાભાઈના યુદ્ધ વિશે જાણ્યું. હવે આગળ.... જીંગાભાઈની વાંદરા સાથેની લડાઈના વિચારો કરતાં કરતાં હું નિધિવન પહોંચ્યો અને અમારા ગ્રુપ સાથે સામેલ થઈ ગયો. નિધિવન આજે પણ એક રહસ્યમય જગ્યા ગણવામાં આવે છે. આ નિધિવનમાં મોટાભાગના વૃક્ષો (છોડ) તુલસીના જ છે.અહીંયા શ્રી કૃષ્ણ અને રાધા વિશ્રામ કરતા અને રાસલીલા પણ રમતા હતા. બે અલગ અલગ પ્રકારના તુલસીના છોડ એક સાથે ઉગેલા છે. જેના થડ તો અલગ જોઈ શકાય પણ ડાળો એકબીજામાં ગૂંથાયેલી હોવાથી કઈ ડાળ ક્યાં છોડની છે એ કહેવું મુશ્કેલ છે.આ છોડને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીનું પ્રતીક માનવામાં આવે છે. અહીંયા એક વિશાખા