સંબંધો

  • 6.5k
  • 1
  • 1.7k

સંબંધોને બંધિયાર બનાવી દેવામાં આવે ત્યારે સબંધોનો શ્વાસ રૂંધાઇ જાય છે,નદીનું વહેણ બંધન મુક્ત છે એટલે જ સ્વચ્છ અને સુંદર છે, ખાબોચિયું કે તળાવ બંધન માં છે એટલે તેનું પાણી ગંધાઈ ઉઠે છે,સંબંધોમાં પણ વહેતા પાણી જેવી મોકળાશ સ્વતંત્રતા જરૂરી હોય છે, તો જ એ સંબંધો ખીલી ઉઠે છે,સંબંધો જ્યારે મુક્ત હવાનો શ્વાસ લઈ શકે ત્યારે જ...હા ત્યારે જ...મુક્ત ગગન માં વિહરતા પક્ષી નો આનંદ પ્રાપ્ત થાય,. ધીમા તાપે થતી રસોઈનો સ્વાદ અનેકગણો વધારે હોય છે,વળી તેમાં રસોઈ બળી જવાનો ભય પણ હોતો નથી, એ જ પ્રમાણે ધીમા તાપે ધીમે ધીમે પાકેલા સંબંધો પાકટ