સુખની શોધ ક્યાં સુધી?

  • 3.1k
  • 1
  • 698

આપણા સુખી જીવન માટે કેટલાંય લોકોનો મહત્વનો ભાગ રહ્યો છે અને તેમ છતાં તેમના કામને અનાયાસે અવગણી દેવાય છે.જરા વિચારો આપણો જે પહેરવેશ છે એ પોષાક બનાવવા માટે કેટલાંય વણિકો એ કે રંગાટે મહેનત કરી હશે અને તેને શણગારવામાં કેટલાંય લોકો એ મહેનત કરી હશે અને એને દુકાન સુધી પહોંચાડવા માટે ઘણા સંસાધનો વપરાયા હશે ત્યારે તે આપણા સુધી પહોંચ્યા છે.આપણે જે આલિશાન ઘરમાં રહીએ છીએ તેના બાંધકામ માટે મજૂરો એ કાળીમજૂરી કરી છે ત્યારે આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. જે આપણા માટે સુવ્યવસ્થિત મકાનો બનાવેે છે પણ તેમના માટે જ રહેવાલાયક ઘર નથી હોતું.આપણે જે ઘડીયાળ પહેેેરીએ છીએ તેને