સરહદ થી પરે પ્રેમભરી દોસ્તી

(12)
  • 2.9k
  • 2
  • 812

વાત છે ૧૯૪૦ ની ત્યારે તો સલમા અને ભગવાન બંને ૫ વર્ષ ના હતા . ભગવાન ના પિતા પંજાબ માં ખૂબ મોટા જમીનદાર હતા. એમ નો બહુ મોટો સફરજન નો ધંધો હતો. ૧૦૦ એક ખેતરો માં ઉગેલા સફજનો તોડવા માટે શાળા પછી ઘણા બાળકો પણ આવતા. એમ ને રોકડી સાથે મન ભરી ને સફરજન ખાવાની અને ઘરે લઇ જવાની પણ છૂટ હતી. વળી સફરજન તોડવાની કોઈ નિર્ધારિત સંખ્યા નક્કી ન હતી. બાળકો રમતા જાય અને સફરજન તોડતા જાય. આમ બાળકો ને પણ મઝા આવતી. મળતા પૈસા માંથી પોતાને ગમતી ટોફી કે બિસ્કુટ લઇ શકતા એટલે ઘણા બાળકો ત્યાં આવતા . એમાં